Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શાંતિથી બેસો! ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ સાંભળીને મમતા કુલકર્ણી ગુસ્સે થઈ, આપી સલાહ

કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવાયા બાદ, મમતા બેનર્જીને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે ઘણો વિવાદ થયો હતો.
શાંતિથી બેસો  ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ સાંભળીને મમતા કુલકર્ણી ગુસ્સે થઈ  આપી સલાહ
Advertisement
  • મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા
  • એક વિવાદ પછી તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા
  • અનેક ઋષિ-મુનિઓએ તેમની મહામંડલેશ્વર તરીકેની નિમણૂકનો વિરોધ કર્યો હતો

ભુતપૂર્વ ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા પરંતુ એક વિવાદ પછી તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને યોગ ગુરુ બાબા રામદેવ સહિત અનેક ઋષિ-મુનિઓએ તેમની મહામંડલેશ્વર તરીકેની નિમણૂકનો વિરોધ કર્યો હતો. મમતા કુલકર્ણીએ આ બંને બાબાઓને પોતાની શૈલીમાં જવાબ આપ્યો છે.

બાબા રામદેવના વિરોધ મમતા કુલકર્ણીએ શું કહ્યું?

વાસ્તવમાં, તેમને આ વિવાદ સંબંધિત કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. બાબા રામદેવના વિરોધ વિશે પૂછવામાં આવતા, મમતા કુલકર્ણીએ કહ્યું, “હવે હું બાબા રામદેવને શું કહું? તેમણે મહાકાલ અને મહાકાલીથી ડરવું જોઈએ. હું તે તેમના પર છોડી દઉં છું.

Advertisement

આ પણ વાંચો :  Mahakumbh 2025 : મહાકુંભ જતાં ગુજરાતીઓને સરકારની વધુ એક મોટી ભેટ, કરી આ જાહેરાત

Advertisement

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધ પર મમતા કુલકર્ણીએ શું કહ્યું?

તેણીએ કહ્યું, “એ લંગોટ… એટલે ધીરેન્દ્ર શાસ્ત્રી. મેં તેમની ઉંમર જેટલી જ, એટલે કે 25 વર્ષ સુધી તપસ્યા કરી છે, અને જેમને તેમણે સિદ્ધ કર્યા છે તે હનુમાનજી છે. આ 23 વર્ષની તપસ્યામાં, હું તેમની સાથે બે વાર દૃશ્યમાન સ્વરૂપમાં રહી છું. હું ધીરેન્દ્ર શાસ્ત્રીને કહેવા માંગુ છું કે, તેમના ગુરુ રામભદ્રાચાર્યને દૈવી દ્રષ્ટિ છે, તેમને પૂછો કે હું કોણ છું અને શાંતિથી બેસો."

મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર વિવાદ પર બીજું શું કહ્યું?

મમતા કુલકર્ણીએ એમ પણ કહ્યું કે, તે મહામંડલેશ્વર બનવા માંગતી ન હતી પરંતુ કિન્નર અખાડાના આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેને આવું કરવા દબાણ કર્યું. તે બનવા પણ તૈયાર નહોતી. મમતા કુલકર્ણી પર મહામંડલેશ્વર બનવા માટે પૈસા આપવાનો આરોપ પણ લાગ્યો હતો. આ આરોપ પર તેણે કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી. મારા બધા ખાતા જપ્ત કરવામાં આવ્યા છે અને મેં ગુરુને 2 લાખ રૂપિયા લોન તરીકે આપ્યા છે.

આ પણ વાંચો : મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકો વિશે બાબા બાગેશ્વરનુ વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.

×