Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surya Gochar 2025: આ ત્રણ રાશિઓના ખુલશે ભાગ્યના દ્રાર, સૂર્યએ કર્યું નક્ષત્ર પરિવર્તન

ગ્રહોનો રાજા સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરતો હોવાથી ત્રણ રાશિઓના ભાગ્યના દ્વાર ખુલવા જઈ રહ્યો છો, જો તમારો આ ત્રણ રાશિમાં સમાવેશ થતો હોય તો તમારા સારા દિવસો આવી રહ્યા છે તે નક્કી છે.
surya gochar 2025  આ ત્રણ રાશિઓના ખુલશે ભાગ્યના દ્રાર  સૂર્યએ કર્યું નક્ષત્ર પરિવર્તન
Advertisement
  • ગ્રહોનો રાજા સૂર્યએ કર્યું નક્ષત્ર પરિવર્તન
  • મિથુન, કર્ક અને વૃશ્ચિક જાતકોને થશે લાભ
  • ત્રણેય રાશિઓનું થશે સકારાત્મક પરિવર્તન

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવનું કુંડળીમાં એક વિશિષ્ટ સ્થાન છે. નવગ્રહોના આ મહત્વપૂર્ણ ભાગની કૃપાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને તેને નવા કાર્યો કરવાની પ્રેરણા મળે છે. સૂર્યના પ્રભાવથી સમાજમાં માન-સન્માન વધવાની સંભાવના પણ પ્રબળ બને છે. જ્યારે પણ સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર અનેક લોકોના જીવન પર પડે છે.

આજે, 3 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 4 વાગ્યેને 16 મિનિટે સૂર્યદેવે કર્ક રાશિમાં રહેતા અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ ગોચરથી મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે. આ ત્રણેય રાશિઓના બીજા, પહેલા અને નવમા ભાવ પર સૂર્યના ગોચરની શુભ અસર પડશે, જેનાથી તેમને સકારાત્મક પરિણામો મળશે.

Advertisement

મિથુન રાશિ

મિથુન રાશિના બીજા ભાવ પર સૂર્ય ગોચરની અસર પડી છે, જે ધન, વાણી અને પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે. આ ગોચરના પ્રભાવથી મિથુન રાશિના જાતકોના સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે. તેઓ પોતાના સંબંધો સુધારવા માટે પ્રયાસ કરશે અને પરિવાર સાથે વધુ સમય પસાર કરશે. આ સમયગાળામાં ધનની અછતનો સામનો કરવો નહીં પડે અને જો કોઈ લોન લીધી હશે તો તે સમયસર ચૂકવી શકશે.

Advertisement

આ ગોચરથી મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને પણ આ ગોચરથી લાભ થશે, કારણ કે તેની અસર તેમના પ્રથમ ભાવમાં પડી છે, જે સ્વભાવ, વ્યક્તિત્વ અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. આ સમય દરમિયાન તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવી બનશે અને તમે તમારા વિચારોને સારી રીતે રજૂ કરી શકશો. જો કોઈની સાથે ઝઘડો કે વિવાદ ચાલી રહ્યો હશે, તો તેનો અંત આવશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે, જેમની સાથે સમય વિતાવીને આનંદ થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને કોઈ મોટી બીમારી તમને પરેશાન કરશે નહીં.

વૃશ્ચિક રાશિ

3 ઓગસ્ટ, 2025ના સૂર્યના ગોચરથી વૃશ્ચિક રાશિનો નવમો ભાવ પ્રભાવિત થયો છે, જે ભાગ્ય, આધ્યાત્મિકતા, પિતા અને લાંબી મુસાફરી સાથે સંકળાયેલો છે. આ સમયગાળામાં તમે કોઈ લાંબી યાત્રાએ જઈ શકો છો. ભાગ્ય તમારો સાથ આપશે, જેનાથી તમને કાર્યોમાં નિષ્ફળતાનો સામનો નહીં કરવો પડે. પિતા સાથે સમય વિતાવવાની તક મળશે, જેનાથી સંબંધોમાં સુધારો થશે. આ ઉપરાંત, ધર્મ અને આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે.

Tags :
Advertisement

.

×