Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vaishno Devi ની યાત્રાને લઇને સૌથી મોટી અપડેટ, જાણો ક્યાંથી બુકીંગ થશે

Vaishno Devi Yatra : અગાઉ ખરાબ હવામાન દરમિયાન, માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે 35 થી વધુ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા
vaishno devi ની યાત્રાને લઇને સૌથી મોટી અપડેટ  જાણો ક્યાંથી બુકીંગ થશે
Advertisement
  • ખરાબ હવામાનના કારણે યાત્રા સ્થગિત કરવી પડી હતી
  • સ્થિતી સુધરતા બોર્ડે યાત્રા ફરી શરુ કરવાની જાહેરાત કરી
  • રવિવારથી યાત્રા શરૂ થઇ જશે

Vaishno Devi Yatra : ભૂસ્ખલનને (Landslide - Jammu) કારણે બે અઠવાડિયાથી વધુ સમયથી સ્થગિત માતા વૈષ્ણો દેવી યાત્રા (Vaishno Devi Yatra) રવિવારથી ફરી શરૂ થવા જઈ રહી છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આજે શુક્રવારે આ જાહેરાત કરી. બોર્ડે કહ્યું છે કે, વૈષ્ણો દેવી યાત્રા (Vaishno Devi Yatra) ફરી શરૂ કરવી શરતી છે અને અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ પર આધારિત છે.

માહિતી અને બુકિંગ માટે વેબસાઇટની મુલાકાત લો

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું છે કે, "અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને આધીન, વૈષ્ણો દેવી યાત્રા (Vaishno Devi Yatra) 14 સપ્ટેમ્બર (રવિવાર) થી ફરી શરૂ થશે. માહિતી અને બુકિંગ માટે વેબસાઇટની મુલાકાત લો."

Advertisement

ગયા મહિને યાત્રા મુલતવી રાખવામાં આવી હતી

નોંધનીય છે કે 26 ઓગસ્ટના રોજ, જમ્મુ વિભાગમાં અત્યંત ખરાબ હવામાન દરમિયાન, માતા વૈષ્ણો દેવી મંદિર (Vaishno Devi Yatra) માર્ગ પર ભૂસ્ખલનને કારણે 35 થી વધુ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા હતા અને 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કારણે, શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા મુલતવી રાખવામાં આવી હતી. કટરામાં તાજેતરમાં ભૂસ્ખલન થયા બાદ, વહીવટીતંત્રે હોટલ અને ધર્મશાળાઓ ખાલી કરવાના આદેશો જારી કર્યા હતા.

Advertisement

ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ

તે જ સમયે, ભૂસ્ખલન દુર્ઘટના પછી શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) ની ટીકા થઈ હતી, જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ પણ યાત્રાનું સંચાલન કરતા SMVDSB ના અધિકારીઓને દોષી ઠેરવ્યા હતા. ત્રણ દિવસ પછી, જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર (Vaishno Devi Yatra) માર્ગ પર અખદુવારી નજીક ભૂસ્ખલનની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. અધિક મુખ્ય સચિવ (જળ શક્તિ) ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં જમ્મુના વિભાગીય કમિશનર અને પોલીસ મહાનિરીક્ષક (IGP)નો સમાવેશ થતો હતો.

શ્રાઈન બોર્ડને રિપોર્ટ સુપરત કરશે

ઉપરાજ્યપાલના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, "આ સમિતિ આગામી અઠવાડિયામાં શ્રાઈન બોર્ડને રિપોર્ટ સુપરત કરશે." રિયાસી જિલ્લાના કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં (Vaishno Devi Yatra) દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ દર્શન કરે છે.

આ પણ વાંચો ------ Pitru Paksha 2025 : શ્રાદ્ધ પર્વમાં પૂર્વજો સ્વપ્નમાં સંકેત આપી શકે છે, વાંચો વિગતવાર

Tags :
Advertisement

.

×