Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આમિર ખાનની ફિલ્મ '3 ઈડિયટ્સના' પ્રોફેસર Achyut Potdar નું નિધન,9 સુપર હીટ ફિલ્મોમાં કર્યું હતુ કામ

બોલિવૂડના પીઢ અભિનેતા Achyut Potdar 91 વર્ષની વયે અવસાન પામ્યા. '3 ઇડિયટ્સ'ના પ્રોફેસર અને 'કહેના ક્યાં ચાહતે હૌ' ડાયલોગ માટે તેઓ જાણીતા હતા.
આમિર ખાનની ફિલ્મ  3 ઈડિયટ્સના  પ્રોફેસર achyut potdar નું નિધન 9 સુપર હીટ ફિલ્મોમાં કર્યું હતુ કામ
Advertisement
  • બોલીવુડના જાણીતા અભિનેતા Achyut Potdar નું નિધન
  • અચ્યુત પોટદારનું 91નું વર્ષે હોસ્પિટલમાં નિધન
  • છેલ્લા કેટલાક સમયથી તેઓ ચાલી રહ્યા હતા બિમાર 

Achyut Potdar : બોલીવુડ અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા અચ્યુત પોટદારનું (Achyut Potdar) 91 વર્ષની વયે અવસાન થયું છે. '3 ઇડિયટ્સ' અને 'આ અબ લૌટ ચલેં' જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનારા પોટદારે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સારી નહોતી, જોકે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ પીઢ અભિનેતાના અંતિમ સંસ્કાર આજે (19 ઓગસ્ટ) થાણેમાં કરવામાં આવશે.

Achyut Potdar ની સેનાથી અભિનય સુધીની સફર

અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા, અચ્યુત પોટદારે ભારતીય સેનામાં સેવા આપી હતી. સેના છોડ્યા પછી, તેમણે ઇન્ડિયન ઓઇલ કંપનીમાં પણ કામ કર્યું. શરૂઆતના દિવસોમાં જ સિનેમા પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને 1980ના દાયકામાં ફિલ્મો અને ટેલિવિઝન તરફ ખેંચી ગયો. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં, તેમણે ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી અને એક કુશળ અભિનેતા તરીકે પોતાની છાપ છોડી.

Advertisement

Advertisement

Achyut Potdar ની યાદગાર ભૂમિકાઓ અને ફિલ્મો

રાજકુમાર હિરાનીની સુપરહિટ ફિલ્મ '3 ઇડિયટ્સ'માં એક કડક એન્જિનિયરિંગ પ્રોફેસરની ભૂમિકાએ તેમને ઘર-ઘરમાં જાણીતા બનાવ્યા. તેમનો આઇકોનિક ડાયલોગ "ક્યા બાત હૈ" આજે પણ સોશિયલ મીડિયા પર મીમ્સ અને વીડિયોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત, તેમણે 'દામિની', 'રંગીલા', 'પરિંદા', 'લગે રહો મુન્નાભાઈ' અને 'પરિણીતા' જેવી ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. મોટા પડદાની સાથે, તેમણે 'વાગલે કી દુનિયા' અને 'ભારત કી ખોજ' જેવી ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

Achyut Potdar ના નિધનથી શોકની લહેર

અચ્યુત પોટદારના મૃત્યુના સમાચારથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના ચાહકો અને સાથીદારો સોશિયલ મીડિયા પર તેમને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચો  : Premanand Maharaj પાપ ધોવાનું મશીન નથી' ભોજપુરી સુપસ્ટારે કોના પર સાધ્યુ નિશાન?

Tags :
Advertisement

.

×