Actor Manoj Kumar passes away : અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
- પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે
- મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
- ક્રાંતિ-ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી 'ભરત કુમાર' કહેતા. તેઓ ક્રાંતિ અને ઉપકાર જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે પ્રખ્યાત હતા.
-પીઢ અભિનેતા મનોજકુમારનું નિધન
-87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
-ભારતકુમારના નામથી હતા પ્રખ્યાત
-24 જુલાઈ 1937માં જન્મ થયો હતો
-પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક
-મુંબઈ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં નિધન
-પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરષ્કારથી કરાયા હતા સન્માનિત… pic.twitter.com/yg95ZD1QlC— Gujarat First (@GujaratFirst) April 4, 2025
મનોજ કુમારના મૃત્યુના સમાચારથી ચાહકો દુઃખી થયા
મનોજ કુમારના મૃત્યુના સમાચારથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર, દરેક વ્યક્તિ ભીની આંખો સાથે પોતાના પ્રિય કલાકારને વિદાય આપી રહ્યા છે. દિગ્ગજ અભિનેતાના નિધન પર સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો છે. મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂર્વ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાઝ સુનો, નીલ કમલ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રૂમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અલવિદા મનોજ કુમાર | Gujarat First
-અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષે નિધન
-મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
-'ભારત કુમાર'ના નામથી હતા પ્રખ્યાત
-પ્રદ્મશ્રી, દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી હતા સન્માનિત
-24 જુલાઈ 1937માં થયો હતો જન્મ
-ક્રાંતિ, ઉપકાર, શહીદ જેવી અનેક સફળ… pic.twitter.com/kXgVDhnaVb— Gujarat First (@GujaratFirst) April 4, 2025
દરેક ભારતીય ઉપકાર ફિલ્મનું ગીત 'મેરે દેશ કી ધરતી' જાણે છે
આ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું પરિવર્તન હતું. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદે તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે તેમાં સંપૂર્ણપણે અનુકૂલન સાધી લેતો. મનોજ કુમારની ફિલ્મો માત્ર હિટ જ નહોતી, પરંતુ તેમના ગીતો પણ લોકોમાં લોકપ્રિય બન્યા હતા. દરેક ભારતીય ઉપકાર ફિલ્મનું ગીત 'મેરે દેશ કી ધરતી' જાણે છે.
અશોક પંડિતે શું કહ્યું?
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- સુપ્રસિદ્ધ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા આપણા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સિંહ હતા. તે હવે આપણી વચ્ચે નથી. આ આપણા સમગ્ર ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. આપણે હંમેશા તેમને યાદ રાખીશું.
આ પણ વાંચો: Ahmedabad: વહેલી સવારથી વતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ


