Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arun Gawli released : 17 વર્ષ બાદ ડોન અરુણ ગાવલી જેલમાંથી બહાર, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ચર્ચા

શિવસેના નેતાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અંડરવર્લ્ડ ડોન અરુણ ગાવલીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા. જાણો કઈ શરતો પર તેમને મુક્ત કરાયા અને તેમનો રાજકીય ઇતિહાસ.
arun gawli released    17 વર્ષ બાદ ડોન અરુણ ગાવલી જેલમાંથી બહાર  સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ચર્ચા
Advertisement
  • અંડરવર્લ્ડ ડોન તરીકે જાણીતા અરુણ ગાવલીને મળ્યા જામીન (Arun Gawli released )
  • સુપ્રિમકોર્ટે જામીન મંજૂર કરતા બુધવારે જેલમુક્ત થયા
  • પોલીસ સુરક્ષામાં વિમાન દ્વારા મુંબઈ મોકલવામાં આવ્યા
  • 2007માં શિવસેના નેતા કમલાકર જામસાંડેકરની કરી હતી હત્યા
  • મુંબઈની હાઈકોર્ટે 2012માં તેમેને આજીવન કેદની સજા ફટકારી હતી

Arun Gawli released  : અંડરવર્લ્ડ ડોન તરીકે જાણીતા અરુણ ગાવલી 17 વર્ષના લાંબા સમયગાળા બાદ નાગપુર જેલમાંથી બહાર આવ્યા છે. તેમને 2007માં શિવસેનાના નેતા કમલાકર જામસાંડેકરની હત્યાના આરોપમાં પકડવામાં આવ્યા હતા. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે તેમને જામીન મંજૂર કરતા બુધવારે તેઓ મુક્ત થયા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને પોલીસ સુરક્ષા હેઠળ વિમાન દ્વારા મુંબઈ મોકલવામાં આવ્યા હતા.

હત્યા કેસ અને સજાનો ઇતિહાસ

કમલાકર જામસાંડેકરની 2007માં થયેલી હત્યાના કેસમાં અરુણ ગાવલીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મુંબઈની સેશન્સ કોર્ટે 2012માં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી, જેના પછી તેમને નાગપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગાવલીએ નીચલી અદાલતના આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ 2019માં હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

Advertisement

Advertisement

કાયદાકીય લડાઈ અને જામીન (Arun Gawli released )

લાંબી કાયદાકીય લડાઈ બાદ, અરુણ ગાવલીએ આખરે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. ગત અઠવાડિયે, 28 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે તેમની 18 વર્ષની સજાનો સમયગાળો ધ્યાનમાં રાખીને તેમને જામીન મંજૂર કર્યા. આ નિર્ણય બાદ તેમના જેલમાંથી છૂટવાનો માર્ગ મોકળો થયો હતો.

આ પણ વાંચો :   WWEનો આ ખતરનાક રેસલર પ્રેમાનંદ મહારાજના દરબારમાં લગાવે છે ઝાડૂ, વીડિયો જોઈને થશો હેરાન

ભૂતપૂર્વ ધારાસભ્ય અને રાજકીય સફર

અંડરવર્લ્ડના નામથી જાણીતા હોવા છતાં, અરુણ ગાવલીએ રાજકારણમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ 2004 થી 2009 સુધી મુંબઈના ચિંચપોકલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ 'અખિલ ભારતીય સેના' નામના રાજકીય સંગઠનના સ્થાપક પણ છે, જે તેમણે 90ના દાયકામાં શરૂ કર્યું હતું. તેમનું નામ ભાયખલાની દગડી ચાલ સાથે પણ જોડાયેલું છે, જે તેમનું મુખ્ય કેન્દ્ર હતું.

આ પણ વાંચો :  Malaika Arora viral video : મલાઈકા અરોરાને જોતા જ વૃદ્ધે કર્યું આ કામ, કેમેરામાં કેદ થયો વીડિયો

Tags :
Advertisement

.

×