Cannes film festival 2025 : સતત નવ મિનિટ સુધી તાળીઓથી standing ovation મેળવનાર ભારતીય ફિલ્મ
Cannes film festival 2025 : 2010 માં, ભારતીય ફિલ્મ નિર્માતા નીરજ ઘેયવાનએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ 'મસાન' સાથે ડેબ્યૂ કર્યું હતું. બનારસની ઘટના આધારિત આ ફિલ્મ પ્રેમ, દુ:ખ અને જાતિ વ્યવસ્થાનાCannes film festival 2025 ચુંગાલમાં ફસાયેલા જીવનની વાર્તા છે.
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અભિનેતા વિકી કૌશલે ભજવી હતી. આ ફિલ્મમાં, તેમણે જાતિ વ્યવસ્થામાં કહેવાતી નીચલી જાતિમાંથી આવતા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે, જેનો પરિવાર ગંગાના કિનારે મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવાનું કામ કરે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'અન સર્ટેન રિગાર્ડ' ('Un Certain Regard')શ્રેણીમાં મસાન દર્શાવવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં એવી ફિલ્મોનો સમાવેશ થાય છે જે કેટલીક અલગ અને નવા પ્રકારની વાર્તાઓ કહે છે.
આ ફિલ્મે પ્રોમિસિંગ ફ્યુચર પ્રાઇઝ જીત્યો હતો.
ઘેયવાન ભારતના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની વાર્તાઓ કહેવાની શોધમાં
કોવિડ રોગચાળા દરમિયાન, ઘેયવાનના મિત્ર સોમેન મિશ્રાએ તેમને ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત 'ટેકિંગ અ ડેડ મેન ટુ હોમ' નામનો લેખ વાંચવાનું સૂચન કર્યું હતું. આ લેખ પત્રકાર બશરત પીર દ્વારા લખાયો હતો. સોમેન મિશ્રા મુંબઈમાં ધર્મા પ્રોડક્શન્સમાં સર્જનાત્મક વિકાસના વડા છે.
આ લેખમાં જણાવાયું હતું કે લોકડાઉન દરમિયાન, લાખો લોકો, જેમની પાસે કોઈ સાધન નહોતું, તેઓ તેમના ગામ પાછા ફરવા માટે સેંકડો કિલોમીટર ચાલીને કેવી રીતે જઈ રહ્યા હતા? પરંતુ આ લેખમાં નીરજને સૌથી ખાસ વાત એ લાગી કે તેમાં દર્શાવવામાં આવેલ એક મુસ્લિમ અને દલિત છોકરા વચ્ચેની બાળપણની મિત્રતા.
આ લેખ તેમની નવી ફિલ્મ 'હોમબાઉન્ડ'Homebound માટે પ્રેરણા બન્યો. આ અઠવાડિયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 'અન સર્ટેન રિગાર્ડ' વિભાગમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી અને આ ફિલ્મના પ્રીમિયર પછી, લોકોએ ઉભા થઈને નવ મિનિટ સુધી તાળીઓ પાડીને Standing ovation આપ્યું હતું. ફિલ્મ જોયા પછી, પ્રેક્ષકોમાંના ઘણા લોકોની આંખોમાં આંસુ હતા.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સૌથી મોટો દક્ષિણ એશિયાઈ ફિલ્મી સમારંભ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ Cannes film festival 2025 માં આ સૌથી મોટો દક્ષિણ એશિયાઈ કાર્યક્રમ હતો, તેથી ઘણી પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ પણ આ ફિલ્મ જોવા આવી હતી. ફિલ્મના મુખ્ય નિર્માતા કરણ જોહર છે, જે ભારતના સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાંના એક છે અને 'કભી ખુશી કભી ગમ' જેવી ઘણી હિટ ફિલ્મો બનાવી છે.
આ ફિલ્મમાં પાછળથી પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ નિર્માતા માર્ટિન સ્કોર્સેસી આ ફિલ્મમાં એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે જોડાયા. તેમને ફિલ્મ 'હોમબાઉન્ડ' Homebound વિષે ફ્રેન્ચ નિર્માતા, મેલિતા ટોસ્કન ડુ પ્લાન્ટિયર દ્વારા આ સુંદર ફિલ્મમાં સહનિર્માતા તરીકે જોડાવા ભલામણ કરેલી.
આ પહેલી વાર છે જ્યારે સ્કોર્સેસે સમકાલીન ભારતીય ફિલ્મ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે. અત્યાર સુધી તેમણે ફક્ત જૂની ભારતીય ફિલ્મોને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી હતી.
સ્કોર્સેસ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત
સ્કોર્સેસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "મેં 2015 માં નીરજની પહેલી ફિલ્મ મસાન જોઈ હતી અને મને તે ખૂબ જ ગમી હતી. જ્યારે મેલિતા ટોસ્કન ડુ પ્લાન્ટિયરે મને તેમની નવી ફિલ્મનો પ્રોજેક્ટ મોકલ્યો, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતો."
"મને તેની વાર્તા ખૂબ જ ગમી. હું આ કાર્યમાં મદદ કરવા માંગતો હતો. નીરજે એક સુંદર ફિલ્મ બનાવી છે, જે ભારતીય સિનેમા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે."
'માત્ર આંકડાઓ જ નહીં, વાર્તાઓ બતાવવી મહત્વપૂર્ણ છે'
નીરજ ઘેયવાન Neeraj Gheywan માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે ફિલ્મમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાની ભાવના અને સત્યને યોગ્ય રીતે દર્શાવવામાં આવે.
ફિલ્મના બે મુખ્ય પાત્રો, મોહમ્મદ શોએબ અલી (ઈશાન ખટ્ટર-Ishan khattar) અને ચંદન કુમાર (વિશાલ જેઠવા-Vishal Jethva), બંને એવી પૃષ્ઠભૂમિમાંથી આવે છે જે સદીઓથી સમાજના કહેવાતા ઉચ્ચ જાતિના લોકો દ્વારા ભેદભાવનો સામનો કરી રહ્યા છે. પરંતુ બંને આ સામાજિક અવરોધોને દૂર કરવાનું સ્વપ્ન જુએ છે. ફિલ્મમાં, બંને તેમના રાજ્યના પોલીસ દળમાં જોડાઈને એક નવી ઓળખ બનાવવાનો પ્રયાસ કરે છે.
નીરજ ઘેયવાન પોતે એક દલિત પરિવારમાંથી આવે છે. અને ‘દલિત’ ઓળખ તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે અને બાળપણથી જ તેને પ્રભાવિત કરી રહી છે. મોટા થતાં, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો અને પછી દિલ્હી નજીક ગુરુગ્રામમાં એક કોર્પોરેટમાં નોકરી મેળવી. તે કહે છે કે તેમને ક્યારેય સીધો ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ હંમેશા એ લઘુતાગ્રંથિ રહી કે “સમાજમાં એમનું સ્થાન ક્યાં?”
જન્મ સાથે સંકળાયેલી ઓળખનો ભાર
"હિન્દી ફિલ્મ ઉદ્યોગના સમગ્ર ઇતિહાસમાં હું એકમાત્ર વ્યક્તિ છું જે દલિત સમુદાયમાંથી આવે છે. આ જ વાસ્તવિક તફાવત છે જેમાં આપણે બધા રહીએ છીએ."
નીરજ ઘેયવાન કહે છે કે ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે, પરંતુ ગામડાઓની વાર્તાઓ હિન્દી ફિલ્મોમાં ભાગ્યે જ બતાવવામાં આવે છે. તેમને એ વાતથી પણ તકલીફ છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો વિશે ફક્ત આંકડા તરીકે વાત કરવામાં આવે છે. તેઓ કહે છે, "જો આપણે તે આંકડાઓમાંથી ફક્ત એક વ્યક્તિની વાર્તા જાણીએ, તેના જીવનમાં શું બન્યું, તે અહીં સુધી કેવી રીતે પહોંચ્યો, તો કદાચ આપણે ઘણું સમજી શકીએ છીએ." "મને લાગ્યું કે આ વાર્તા બતાવવા યોગ્ય છે
માનવીય સંબંધોના ઊંડાણને સ્પર્શતી ફિલ્મ
.નીરજ ઘેયવાને તેનું બાળપણ હૈદરાબાદમાં વિતાવ્યું અને તેનો મિત્ર અસગર મુસ્લિમ સમુદાયનો હતો. તેથી તે અલી અને કુમાર. તેમને ફિલ્મ સાથે ઊંડો જોડાણ અનુભવાયું.
"મને સૌથી વધુ સ્પર્શી ગયેલી બાબત એ હતી કે સંબંધ પાછળની માનવતા, જોડાણની ઊંડાઈ અને તે સંબંધના આંતરિક સ્તરો," તે કહે છે.
ઘેયવાનની દિગ્દર્શિત પહેલી ફિલ્મ, હોમબાઉન્ડ, શિયાળાના ગરમ સૂર્યની કોમળતા ધરાવે છે.
આ ફિલ્મ ઉત્તર ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સુંદર રીતે શૂટ કરવામાં આવી છે, અને તે મુસ્લિમ અને દલિત પાત્રોના રોજિંદા સંઘર્ષો અને નાના આનંદને બારીકાઈથી દર્શાવે છે.
પુરુષ પાત્રો તેમજ સ્ત્રી (જાહ્નવી કપૂર) બંને સાથેના તેમના સંબંધો, વાતચીત અને અનુભવો દર્શકોને વિચારવા મજબૂર કરે છે. જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા બંને દલિત પાત્રો ભજવી રહ્યા છે.
ઘેયવાનની સ્ક્રિપ્ટ દર્શકોને બાંધી રાખે છે.
2019 માં, કોઈને ખ્યાલ નહોતો કે કોવિડ રોગચાળો કેટલો મોટો થવાનો છે.
ફિલ્મ સંવેદનશીલતાથી તે પેનડેમિક પિરિયડને આલેખે છે. એક શક્તિશાળી વાર્તા છે. તે બતાવે છે કે મહામારી કોઈ પણ કટોકટી જાતિ, વર્ગ અથવા ધર્મને કેવી રીતે જોતી નથી. તે અસર કરે છે બધાને.
'હોમબાઉન્ડ' એ કાલ્પનિક અને વાસ્તવિકતાનું મિશ્રણ છે જે સમાજના સત્યને દર્શાવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની જાય છે.
આ ફિલ્મ દર્શકને માત્ર ભાવુક જ કરતી નથી પણ વિચારવા માટે પણ મજબૂર કરે છે.
આ પણ વાંચો: IPL પ્લેઓફ પહેલા વિરાટ કોહલી અયોધ્યા પહોંચ્યો, પત્ની અનુષ્કા શર્મા સાથે રામલલાના દર્શન કર્યા, VIDEO


