Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Entertainment : એવું તો શું થયું? લગ્નના થોડા દિવસ પછી જ 26 વર્ષીય મોડલે કર્યો આપઘાત

Model Suicide : ભારતીય મનોરંજન જગતને મોટો આંચકો લાગ્યો છે. ફેશન ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિએ(Model Suicide) આત્મહત્યા કરી છે. પ્રખ્યાત મૉડલ અને સોશયલ મીડિયા સ્ટાર સાન રશેલ (San Rechal)એ રવિવારે આત્મહત્યા કરી છે. પુડુચેરી (Puducherry)માં આત્મહત્યા કરનાર ૨૬ વર્ષીય મૉડલના મૃતદેહની...
entertainment   એવું તો શું થયું  લગ્નના થોડા દિવસ પછી જ 26 વર્ષીય મોડલે કર્યો આપઘાત
Advertisement

Model Suicide : ભારતીય મનોરંજન જગતને મોટો આંચકો લાગ્યો છે. ફેશન ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિએ(Model Suicide) આત્મહત્યા કરી છે. પ્રખ્યાત મૉડલ અને સોશયલ મીડિયા સ્ટાર સાન રશેલ (San Rechal)એ રવિવારે આત્મહત્યા કરી છે. પુડુચેરી (Puducherry)માં આત્મહત્યા કરનાર ૨૬ વર્ષીય મૉડલના મૃતદેહની બાજુમાંથી સુસાઇડ નોટ પણ મળી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

પૈસા એકઠા કરવા માટે તેના ઘરેણાં ગીરવે મૂક્યા હતા

પુડુચેરીની પ્રખ્યાત મૉડલ સાન રશેલ ગાંધીની આત્મહત્યા (San Rechal Gandhi suicide)નો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસને શંકા છે કે, તેણે ભારે દેવા અને તણાવને કારણે આ પગલું ભર્યું હશે. તહસીલદારે તપાસના આદેશ આપ્યા છે કારણ કે, સાનના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું છે કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. તે જ સમયે, તપાસકર્તાઓનું કહેવું છે કે સાન રશેલે તેના કામ માટે પૈસા એકઠા કરવા માટે તેના ઘરેણાં ગીરવે મૂક્યા હતા..

Advertisement

મૉડલ સાન રશેલ ગાંધીનું પુડુચેરીમાં  મૃત્યુ થયું.

26 વર્ષીય મૉડલ સાન રશેલ ગાંધીનું પુડુચેરીમાં જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER)માં સારવાર દરમિયાન મૃત્યુ થયું. અગાઉ તેમને બે અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી. તેના મૃત્યુથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.પોલીસના જણાવ્યા અનુસાર, સાન રશેલે તેના પિતાના ઘરે વધુ માત્રામાં ગોળીઓ ખાધી હતી. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પછી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેને JIPMER ખસેડવામાં આવી જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા.

Advertisement

આ પણ  વાંચો -SON OF SARDAAR 2 ના ઇવેન્ટમાં ભાષા વિવાદ અંગે સવાલ પુછાતા અજય દેવગણે કહ્યું, 'આતા માજી સટકલી'

પોલીસને  તપાસમાં  સુસાઇડ નોટ   મળી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, રશેલ ભારે નાણાકીય તણાવ અને વ્યક્તિગત દબાણથી પીડાઈ રહી હતી. તેણીએ તાજેતરના મહિનાઓમાં તેના વ્યાવસાયિક કાર્ય માટે ભંડોળ પૂરું પાડવા માટે તેના ઘરેણાં વેચી દીધા હતા અને ગીરવે મૂક્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાનને તેના પિતા પાસેથી નાણાકીય મદદની અપેક્ષા હતી પરંતુ તેમણે તેમના પુત્રની જવાબદારીઓનો ઉલ્લેખ કરીને અસમર્થતા વ્યક્ત કરી હતી. પોલીસને રશેલના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી જેમાં તેને લખ્યું હતું કે તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવવું જોઈએ નહીં. જોકે, તેના તાજેતરના લગ્નને ધ્યાનમાં રાખીને, વૈવાહિક સમસ્યાઓએ તેની માનસિક સ્થિતિને અસર કરી છે કે કેમ તે નક્કી કરવા માટે તહસીલદાર સ્તરની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -તારક મહેતા સીરીયલની ભૂતનીએ પોપટલાલનું જ પોપટ કરી નાખ્યું, જાણો કેવી રીતે

મહિલાઓ સામેના ભેદભાવ પર ખુલ્લેઆમ વાત કરી

નોંધનીય છે કે, સાન રશેલે મૉડેલિંગની દુનિયામાં પોતાના માટે એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તે ફક્ત તેના કામ માટે જ જાણીતી નહોતી, પરંતુ ભારતીય સિનેમા અને ફેશનમાં કાળી ત્વચા સામેના ભેદભાવ તેની સામેની તેની લડાઈએ તેને હેડલાઇન્સમાં પણ સ્થાન આપ્યું હતું. ૨૦૨૨માં મિસ પુડુચેરીનો ખિતાબ જીતનાર સાન હંમેશા સમાવેશીતા અને પ્રતિનિધિત્વ માટે પોતાનો અવાજ ઉઠાવતી હતી. તેણીએ સોશ્યલ મીડિયા પર કાળી ત્વચાવાળી મહિલાઓ સામેના ભેદભાવ પર ખુલ્લેઆમ વાત કરી અને આ મુદ્દા પર મહત્વપૂર્ણ ચર્ચાઓ જગાવી. તેણીની લડાઈ ઘણા લોકો માટે પ્રેરણારૂપ હતી.

Tags :
Advertisement

.

×