Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salman Aishwarya fight : શું ખરેખર સલમાન ખાને ઐશ્વર્યા રાયનો હાથ તોડી નાંખ્યો હતો? જાણો એ રાતે શું થયુ હતુ?

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પીડાદાયક પ્રેમ કહાની. જાણો કઈ રીતે એક મોડી રાતના ઝઘડાએ તેમના સંબંધોનો અંત લાવી દીધો.
salman aishwarya fight   શું ખરેખર સલમાન ખાને ઐશ્વર્યા રાયનો હાથ તોડી નાંખ્યો હતો  જાણો એ રાતે શું થયુ હતુ
Advertisement
  • સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પીડાદાયક પ્રેમ કહાની (Salman Aishwarya fight)
  • સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે થયો હતો ઝઘડો
  • ઝઘડા બાદ સલમાન અને ઐશ્વર્યા રાયનું થયુ હતુ બ્રેકઅપ
  • સલમાન પર લાગ્યો હતો મારપીટ પર આરોપ

Salman Aishwarya fight : બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ગણપતિની ભક્તિને કારણે ચર્ચામાં છે, ત્યારે ચાહકો ફરી એકવાર તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. 59 વર્ષની ઉંમરે પણ સિંગલ રહેલા સલમાન ખાનનું નામ ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે જોડાયું હતું. તેમની લવ સ્ટોરી ફિલ્મી વાર્તા જેવી હતી, જેનો અંત ખૂબ જ પીડાદાયક હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા સાથે અલગ થયા બાદ સલમાન ખાન સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. તેમણે પોતાને દુનિયાથી દૂર કરી લીધો હતો અને લાંબા સમય સુધી ઘરની બહાર નીકળ્યો ન હતો. ઘણા અહેવાલો દાવો કરે છે કે સલમાન આ બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં પણ ચાલ્યો ગયો હતો. એવું પણ કહેવાય છે કે ઐશ્વર્યાના જીવનમાંથી ગયા બાદ જ સલમાને ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો, અને તે જ કારણે તેઓ આજે પણ સિંગલ છે.

Advertisement

Advertisement

કેવી રીતે શરૂ થઈ હતી પ્રેમકહાની?

સલમાન અને ઐશ્વર્યાની મુલાકાત 1997માં થઈ હતી. તે સમયે સલમાન સુપરસ્ટાર હતા અને ઐશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, સલમાન તે સમયે સોમી અલી સાથે સંબંધમાં હતો, પરંતુ ઐશ્વર્યાને જોતા જ તેને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો.

ઐશ્વર્યાના ઘરની બહાર કર્યો હતો હોબાળો

શરૂઆતમાં આ પ્રેમકહાની ખૂબ સારી રીતે ચાલી રહી હતી, પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે બધું બગડવા લાગ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક દિવસ મોડી રાત્રે સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચ્યા અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. ઐશ્વર્યાએ એક જૂના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સલમાન તે દિવસે ખૂબ જ નશામાં હતા અને તેમનાથી ડરીને ઐશ્વર્યાએ ઘરનો દરવાજો ખોલ્યો નહોતો. ગુસ્સામાં સલમાન સવારે 3 વાગ્યા સુધી દરવાજો પછાડતો રહ્યો હતો અને 19મા માળેથી કૂદી જવાની ધમકી પણ આપી હતી, જેના કારણે તેનો હાથ પણ ઈજાગ્રસ્ત થયો હતો.

લગ્નનો ઇનકાર અને સંબંધનો અંત (Salman Aishwarya fight)

આ હોબાળા પાછળનું કારણ ઐશ્વર્યાનો લગ્ન કરવાનો ઇનકાર હતો. સલમાન લગ્ન કરીને સેટલ થવા માંગતો હતા, જ્યારે ઐશ્વર્યા તે સમયે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતી હતી. આ ઘટના બાદ ઐશ્વર્યાના પિતાએ સલમાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટના બાદ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. તે જ સમયે, સલમાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીના પિતાના ઓપરેશનની વાત જાણીને સલમાન ઐશ્વર્યાને જાણ કર્યા વિના અમેરિકા ગયો હતો.

કુછ ના કહો ના સેટ પર કર્યો હતો હોબાળો (Salman Aishwarya fight)

પાછા ફર્યા બાદ સલમાને જોયું કે ઐશ્વર્યા અભિષેક બચ્ચનની નજીક આવી રહી છે. ગુસ્સામાં સલમાને અભિષેકની ફિલ્મ 'કુછ ના કહો' ના સેટ પર જઈને પણ હોબાળો કર્યો હતો. આ ઘટના પછી, 2002માં, ઐશ્વર્યા હાથમાં ફ્રેક્ચર સાથે એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી, જેના પર લોકોએ અનુમાન લગાવ્યું કે સલમાને તેના પર હુમલો કર્યો છે. ઐશ્વર્યાએ પછીથી એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાન પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દુઃખદ ઘટનાઓ પછી બંને અલગ થઈ ગયા હતા, અને આ લવ સ્ટોરીનો અંત આવ્યો. ઐશ્વર્યાએ બાદમાં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને સલમાન હજી પણ સિંગલ છે.

આ પણ વાંચો :    અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટવા પર કરિશ્મા કપૂરે કહ્યું: 'તેણે મને એકલી પાડી દીધી'

Tags :
Advertisement

.

×