Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Unrivalled Musician : એક ગર્વિલો એકોર્ડિયન વાદક

વિશ્વભરના કોઈ પણ સંગીત વાદ્ય ત્રણ પ્રકારના હોય- ઘા,વા અને ઘસરકો એવા સંગીતકાર  ગુજરાતીઓની વાત કે જેના લોહીમાં વ્યાપાર છે જેમણે સંગીતમાં નામ અને દામ બંને મેળવ્યાં. મેન્ડોલીન વાદન. બબ્બે નોટ્સ એક સાથે બખૂબી વગાડી ગીતને એક નવો જ આયામ આપનાર કિશોર દેસાઈ. ફિલ્મ આવારામાં ‘ઘર આયા મેરા પરદેસી..’માંથી મેન્ડોલીન બાદ કરો-પરિણામ??? એ કિશોર દેસાઈ અને કે .ભરત વિષે કેટલા ગુજરાતીઓ જાણે છે?
unrivalled musician   એક ગર્વિલો એકોર્ડિયન વાદક
Advertisement

Unrivalled Musician :  વિશ્વભરના કોઈ પણ સંગીત વાદ્ય ત્રણ પ્રકારના હોય- ઘા,વા અને ઘસરકો 

એવા સંગીતકાર  ગુજરાતીઓની વાત કે જેના લોહીમાં વ્યાપાર છે જેમણે સંગીતમાં નામ અને દામ બંને મેળવ્યાં.

Advertisement

એક સનાતન સમીકરણ : મદનમોહનનું સંગીત +લતા મંગેશકરની ગાયકી= અમર ગીત.

Advertisement

ના....આ સમીકરણ ખોટું છે. મદનમોહનનું સંગીત તો ખરું જ પણ એમાં મેન્ડોલીન વાદન. બબ્બે નોટ્સ એક સાથે બખૂબી વગાડી ગીતને એક નવો જ આયામ આપનાર કિશોર દેસાઈ. ફિલ્મ આવારામાં ‘ઘર આયા મેરા પરદેસી..’માંથી મેન્ડોલીન બાદ કરો-પરિણામ??? એ કિશોર દેસાઈ વિષે કેટલા ગુજરાતીઓ જાણે છે?

માફ કરજો કિશોર દેસાઈ,અમે ગેલહાંગરા ગુજરાતીઓ અરવિંદ વેગડા અને વિક્રમ ઠાકોરને હીરો બનાવીશું..ચાર ચાર બંગડીવાળી...ને મીલીયંસ ઓફ વ્યુઝ આપીશું.. પણ કિશોર દેસાઈ??? એ વળી કોણ?-ની માનસિકતામાંથી બહાર નહિ આવીએ.પડદા પાછળના આ સંગીતના મહારથીઓને કિશોર દેસાઈ,કે.ભરત કે ધીરજ ધનક પર અમને રસ ક્યાંથી હોય? આ થોડી મરાઠી ચેનલ્સ છે???

Unrivalled Musician : બોલીવુડમાં દરેક પાસામાં ગુજરાતીઓનો નોંધપાત્ર ફાળો

-હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાયેગા (ફિલ્મ-સંગમ)

-બેકરાર કર કે હમેં યું ન જાઈયે આપકો હમારી કસમ લૌટ આયે...(ફિલ્મ-બીસ સાલ બાદ)

-ક્યા મિલિયે ઐસે લોગોં સે (ફિલ્મ-ઈજ્જત)

આવાં ઘણા હિન્દી ફિલ્મ્સનાં ગીતોમાં એકોર્ડિયનની કમાલ છે અને એ સુરીલા વાદ્યને કારણે એ બધાં ગીતો આજે પણ સાંભળવા ગમે છે.

બોલીવુડમાં દરેક પાસામાં ગુજરાતીઓનો ફાળો નોંધપાત્ર છે.નાનાભાઇ ભટ્ટ,વિજય ભટ્ટ(બૈજુ બાવરા-ફિલ્મફેમ),કલ્યાણજી આણંદજી,શંકરજયકિશન જોડીના જયકિશન પંચાલ,મનમોહન દેસાઈ,સંજીવકુમાર,પરેશ રાવલ.સંજય ભણસાલી,આશા પારેખ,ભરત શાહ(બૉલીવુડ અને સાઉથની ફીલ્મોના ધિંગા ફાઇનાન્સર)....અધધધ નામો છે.

જેમનું હિન્દી ફિલ્મોમાં પ્રદાન અવિસ્મરણીય છે.કેટલાંક નામો એવાં છે જેમના વિના સંગીતકારોને ય ન જ ચાલે. કિશોર દેસાઈ-મેન્ડોલીનવાદક. આજા સનમ મધુર ચાંદની મેં હમ,ઘર આયા મેરા પરદેસી)એવાં તો અનેક ગીતોને એમના મેન્ડોલીનવાદનથી અમર બનાવ્યા છે.

Unrivalled Musician : જેનું એકોર્ડીયન વાદન ધુરંધર સંગીતકારો માટે અનિવાર્ય

આજે એક તદ્દન સામાન્ય કુટુંબના બાળકની વાત કરીએ જે મોટો થયો ત્યારે એના એકોર્ડીયન વાદન વગર બર્મનદા ,શંકર જયકિશન જેવા ધુરંધર સંગીતકારો માટે અનિવાર્ય બની ગયેલું.

મુંબઈમાં એક મિલમાં જીવાભાઈ પરમાર નોકરી કરે.માટુંગામાં એક ચાલમાં રહે. માટુંગામાં ત્યારે ઘણી ફિલ્મી હસ્તીઓ પણ રહેતી. જીવાભૈનો પાંચેક વરસનો દીકરો બાપના આવવાના સમયે ચાલના નાકે આવેલી દુકાનના ઓટલે બેસે અને એ બહાને દુકાનમાં વાગતું ગ્રામોફોન સાંભળે. 1949ની આસપાસનો ગાળો. ફિલ્મ-બરસાત આવેલી.એમાં મુકેશનું એક ગીત-છોડ ગયે બાલમ હાય અકેલા છોડ ગયે બહુ લોકપ્રિય થયેલું એમાં જીવાભાઈના આ ટાબરિયાને તો અતિપ્રિય...

Unrivalled Musician: ધગશ અને સૂઝ બન્ને

સમય વહેતો ગયો.એ ટાબરિયું મોટું થયું. ભરત જીવાભાઈ પરમાર. સંગીતનો શોખ. કોકનું હાર્મોનિયમ મળે તો હાથ અજમાવવાનો મોકો ન ચૂકે. થોડુંઘણું વગાડી જાણે.એ માટુંગાથી નજીક ‘રુઈયા કોલેજ’માં ભણવા જતો.એકવાર કોલેજના એન્યુઅલ ફંકશનમાં ગીતસંગીતનો કાર્યક્રમ.એમાં ઓરકેસ્ટ્રા બહારની. કાર્યક્રમમાં એનું ધ્યાન ખાસ એકોર્ડિયન પર જ રહ્યું. એને થયું- ‘હું કેમ ન શીખી શકું?’.

કાર્યક્રમ પૂરો થયે એ બેક સ્ટેજમાં ગયો.એકોર્ડિયન વગાડતા ભાઈને મળ્યો અને સીધું જ પૂછ્યું: ‘મને એકોર્ડિયન શીખવાડશો?’...એકોર્ડિયનવાદક હતા ધીરજ ધનક. બોલીવુડમાં એમનો સિક્કો વાગે પણ કોઈ કારણ સર બોલીવુડમાં સાજીન્દાઓની હડતાલ એટલે તમામ રેકોર્ડીંગ બંધ એટલે અહી વગાડવા આવેલા.એ સરળ પણ એટલા.ધીરજભાઈએ તો હા પાડી ને એકાદ મહિનામાં તો ભરતનો હાથ એકોર્ડિયન પર બેસી ય ગયો-ધગશ અને સૂઝ બન્ને હતાને એટલે !!!.

મુકેશના જિંદગીના છેલ્લા શો સુધી કે.ભરત જ એકોર્ડિયન પર હતા.

એ સમયે બોલીવુડના ગાયકો અને સંગીતકારોના મોટા બજેટવાળા ભવ્ય કાર્યક્રમો યોજાય.બન્યું એવું કે ધીરજ ધનક મુકેશ સાથે એકોર્ડિયન વગાડે.દિલ્હી કાર્યક્રમ.યોગાનુયોગ એ જ દિવસે મુંબઈમાં મોહમ્મદ રફીનો ય કાર્યક્રમ.ધીરજભાઈને રફીના કાર્યક્રમમાં એકોર્ડિયનવાદન કરવું જ પડે એમ હતું.એમણે મુકેશજીને કહ્યું: ‘દિલ્હી તમારા કાર્યક્રમમાં હું ભરતને મોકલું છું.’ મુકેશજી સાવ સરળ અને ધીરજ ધનકમાં વિશ્વાસ.આ બાજુ ભરતે તો એક પણ રીહર્સલ જ કર્યું નહોતું પણ ધીરજભાઈએ એને દરેક ગીતનું ડીટેઈલ્સમાં નોટીંગ કરી આપ્યું. દિલ્હીમાં શો થયો અને મુકેશ ભરતના કામથી ખુશ થયા અને એ ય એવા કે એમની જિંદગીના છેલ્લા શો સુધી ભરત(હવે કે.ભરત) જ એકોર્ડિયન પર હતા.

એ જમાનામાં એટલે કે સિત્તેરના દશક સુધી બોલીવુડમાં લગભગ દરેક ફિલ્મમાં સંગીત ઉચ્ચ કક્ષાનું રહેતું.દારાસિંહની ફિલ્મોમાં પણ ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’જેવાં અમર ગીત રહેતાં.

શંકર જયકિશન,નૌશાદ,કલ્યાણજીઆણંદજી,રોશન,ઓ.પી.નય્યર જેવા દિગ્ગજો સમકાલીન હતા.ત્યારે એમની ઓરકેસ્ટ્રામાં વાદકો પણ માસ્ટર હોય એ જ ચાલે.

એકોર્ડિયનની વાત કરીએ તો સુમિત મિત્રા,કેરસી લોર્ડ,અરૂણ પૌન્ડવાલ,ગુડ્ડી સરવઈ જેવા માસ્ટર્સ હતા એમાં ભરત જીવાભૈનું ક્યાં ગજું? પણ સૂરજ છાબડે ન ઢંકાય.કે.ભરતની નોંધ બોલીવુડે લેવી જ પડી.ખાસ તો શંકર જયકિશન માટે એ અનિવાર્ય બની ગયા...’હર દિલ જો પ્યાર કરેગા...’

એક ગીત ખાસ સાંભળજો-બે કરાર કર કે હમે યું ન જઈએ...તમને આપણા ભરતભાઈ મળશે.

આ પણ વાંચો : SS Rajamouli Trolling : Varanasi ફિલ્મના નિર્માતાનું બેજવાબદાર નિવેદન

Tags :
Advertisement

.

×