Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Zubeen Garg Inheritance : જુબીન ગર્ગની 70 કરોડની સંપત્તિનો વારસદાર કોણ? પત્ની, 15 બાળકો કે બહેન?

આસામના પ્રખ્યાત ગાયક જુબીન ગર્ગના નિધન બાદ તેમની ₹70 કરોડની સંપત્તિના વારસદારને લઈને સવાલ ઉઠ્યા છે.
zubeen garg inheritance   જુબીન ગર્ગની 70 કરોડની સંપત્તિનો વારસદાર કોણ  પત્ની  15 બાળકો કે બહેન
Advertisement
  • પ્રખ્યાત આસામી સિંગર જુબિન ગર્ગની સંપત્તિનો વાસરદાર કોણ? (Zubeen Garg Inheritance)
  • 70 કરોડની વિશાળ સંપત્તિ અને અમૂલ્ય વારસાનો હક્ક કોને મળશે?
  • વસિયત ન હોય તો પત્નીને મળ છે સંપૂર્ણ સંપત્તિનો વારસો

Zubeen Garg Inheritance : આસામના લોકપ્રિય ગાયક અને સંગીતકાર, જુબીન ગર્ગ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ અકસ્માતમાં તેમનું નિધન થયું, પરંતુ તેઓ તેમની પાછળ આશરે રુ.70 કરોડની વિશાળ સંપત્તિ અને એક અમૂલ્ય વારસો છોડી ગયા છે.

હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે આ સંપત્તિનો વારસદાર કોણ બનશે? શું તેમની પત્ની ગરિમા સૈકિયા ગર્ગ, 15 દત્તક લીધેલા બાળકો કે પછી તેમની બહેન પાલ્મી બોરઠાકુર? શું જુબીને કોઈ વસિયત તૈયાર કરી હતી? ચાલો આ દરેક પાસાને નજીકથી તપાસીએ, જ્યાં લાગણીઓ, શોક અને સંપત્તિની ચિંતા એક સાથે ઉભરી રહી છે.

Advertisement

પત્ની ગરિમા: શું તે સૌથી મજબૂત દાવેદાર છે? (Zubeen Garg Inheritance)

23 સપ્ટેમ્બરના રોજ જુબીનના ગામ, કમરકુચી એનસીમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં તેમની પત્ની ગરિમા સૈકિયા ગર્ગ પરંપરાગત મેખલા-ચાદરમાં હાજર રહી હતી. 2002માં જુબીન સાથે લગ્ન કરનાર ગરિમા તેમની સૌથી નજીકની સાથી હતી. એક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અને ગાયિકા તરીકે, ગરિમાએ હંમેશા જુબીનની કારકિર્દી અને સામાજિક કાર્યોમાં તેમનો સાથ આપ્યો. શું રુ.70 કરોડની સંપત્તિ પર તેમનો સૌથી મજબૂત દાવો છે? ભારતીય વારસાઈ અધિનિયમ, 1925 મુજબ, જો કોઈ વ્યક્તિ વસિયત બનાવ્યા વિના મૃત્યુ પામે, તો પત્નીને સંપત્તિનો મોટો ભાગ મળે છે. પરંતુ શું જુબીને કોઈ વસિયત બનાવી હતી? આ પ્રશ્ન હજુ વણઉકેલાયેલો છે.

Advertisement

જુબીનના 15 બાળકો: શું તેમને મળશે હક? (Zubeen Garg Inheritance)

જુબીન અને ગરિમાને કોઈ જૈવિક સંતાન નહોતા, પરંતુ તેઓએ 15 અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને દત્તક લીધા હતા. તેમાંથી એક કજલી હતી, જેને જુબીને ઘરની નોકરાણી તરીકે થતા અત્યાચારથી બચાવી હતી. ઘણીવાર તો ગરિમાને પણ આ બાળકો વિશે પાછળથી જાણ થતી હતી, કારણ કે જુબીનનું દત્તક લેવું એ કોઈ વિચારપૂર્વકનો નિર્ણય નહોતો, પરંતુ દિલની લાગણી હતી. શું આ બાળકોને તેમની સંપત્તિમાં હિસ્સો મળશે? ભારતીય કાયદા હેઠળ દત્તક લીધેલા બાળકોને જૈવિક બાળકો જેવો જ હક મળે છે, પરંતુ તેના માટે કાયદેસરના દસ્તાવેજો હોવા જરૂરી છે. આ બાળકોનો દાવો કેટલો મજબૂત છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી.

બહેન પાલ્મી બોરઠાકુર: શું તેમને વારસો મળશે?

જુબીનના અંતિમ સંસ્કારમાં તેમની નાની બહેન પાલ્મી બોરઠાકુરે તેમને મુખાગ્નિ આપી. પરંપરા મુજબ, આ કાર્ય પરિવારના સૌથી નજીકના સભ્ય દ્વારા કરવામાં આવે છે. પરંતુ શું તેનો અર્થ એ છે કે પાલ્મી પણ સંપત્તિની દાવેદાર છે? ભારતીય વારસાઈ કાયદા મુજબ, જો કોઈ વસિયત ન હોય અને કોઈ જૈવિક કે દત્તક સંતાન ન હોય, તો પત્ની પછી માતા-પિતા અને પછી ભાઈ-બહેનને વારસાનો હિસ્સો મળી શકે છે. પરિવારમાં પાલ્મીનો ભાવનાત્મક સંબંધ ઊંડો હતો, પરંતુ સંપત્તિમાં તેમનો દાવો કેટલો મજબૂત હશે તે દસ્તાવેજો પર આધાર રાખે છે.

જુબીન ગર્ગની સંપત્તિ: રુ.70 કરોડની નેટવર્થ

જુબીનની અંદાજિત નેટવર્થ રુ.70 કરોડ (આશરે $8 મિલિયન) હતી. આમાં જોરહાટમાં તેમનું આલીશાન ઘર, મર્સિડીઝ-બેન્ઝ, રેન્જ રોવર વેલાર, BMW X5 અને કસ્ટમાઇઝ્ડ ઇસુઝુ SUV જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમની મોટરબાઈક્સ પણ ઘણી પ્રખ્યાત હતી. જુબીનની કમાણીનો મુખ્ય સ્ત્રોત 38,000 થી વધુ ગીતો, લાઇવ કોન્સર્ટ, ફિલ્મ પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ હતા. શું આ બધી સંપત્તિ ગરિમા, બાળકો કે પરિવાર વચ્ચે વહેંચાશે?

કોણ છે સૌથી મજબૂત દાવેદાર?

જુબીન ગર્ગની રુ.70 કરોડની સંપત્તિનો વારસદાર કોણ બનશે તે એક મોટો પ્રશ્ન છે. તેમની પત્ની ગરિમા સૈકિયા ગર્ગ, જે તેમની જીવનસાથી અને સર્જનાત્મક સહયોગી હતી, તે કાયદેસર રીતે સૌથી મજબૂત દાવેદાર છે. 15 દત્તક લીધેલા બાળકોનો દાવો ત્યારે જ મજબૂત બનશે જો તેમના દત્તક લેવાના દસ્તાવેજો કાયદેસર હોય. બહેન પાલ્મી બોરઠાકુરનો દાવો ત્યારે જ શક્ય છે જો કોઈ વસિયત તેમના પક્ષમાં હોય. કોઈ વસિયત ન હોવાના કિસ્સામાં, ભારતીય કાયદો ગરિમાને પ્રાથમિકતા આપશે. પરંતુ આસામની ગલીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી એક જ સવાલ ગુંજી રહ્યો છે: જુબીનનો વારસો કોના નામે થશે?

Tags :
Advertisement

.

×