ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: સ્ટેમ્પ ડ્યુટીને લઈ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, CM ભૂપેન્દ્રભાઇનો સંવેદનશીલ સકારાત્મક અભિગમ

નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે. તેમાં રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડયૂટીમાં જનતાને મોટો લાભ થશે
09:38 AM Jun 30, 2025 IST | SANJAY
નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે. તેમાં રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડયૂટીમાં જનતાને મોટો લાભ થશે
Gujarat Stamp Act Amendments Gujarat First

Government Stamp Duty: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય સામે આવ્યો છે. જેમાં નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે. તેમાં રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડયૂટીમાં જનતાને મોટો લાભ થશે. તબદીલી-ટ્રાન્સફર માટે ભરવા પાત્ર ડયૂટીની 80 ટકા સુધી રકમ માફ કરાશે. તથા અલોટમેન્ટ લેટર-શેર સર્ટીફિકેટથી કરાયેલા ટ્રાન્સફર પર 80 ટકા ડયૂટી માફ થશે. જનતાની રજૂઆત પ્રત્યે CM ભૂપેન્દ્રભાઇનો સંવેદનશીલ સકારાત્મક અભિગમ છે. 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરાશે.

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય છે. જેમાં સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર - શેર સેર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી - ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે. પ્રજાજનો - જન પ્રતિનિધિઓની રજૂઆતો પ્રત્યે મુખ્યમંત્રીનો સંવેદનશીલ સકારાત્મક અભિગમ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ

મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં

આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્રને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.

આ પણ વાંચો: Gujart Rain: 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ

 

Tags :
ahmedabad gujarat newsBhupendra PatelgovernmentGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsStampDutyTop Gujarati News
Next Article