Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની ખાણીપીણીના એકમોની થશે ચકાસણી

રાજ્ય સરકારે યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની સુવિધાઓ સુધારવા માટે એક્શન પ્લાન શરૂ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ ફૂડ ક્વોલિટી માટે સરપ્રાઈઝ ચેકિંગ, શુદ્ધ પાણી, સ્વચ્છ ટોયલેટ અને દિવ્યાંગ-વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધાઓ પર ખાસ ભાર મૂકાયો છે, જેથી યાત્રાળુઓને સુરક્ષિત અને સુખદ અનુભવ મળી રહે.
રાજ્યભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની ખાણીપીણીના એકમોની થશે ચકાસણી
Advertisement
  • Statewide Food Quality Checks
  • યાત્રાધામો, પ્રવાસન સ્થળોમાં ખાણીપીણીના એકમોની થશે ચકાસણી
  • હોટલ અને નાસ્તાની લારી, દુકાનો પર સરપ્રાઈઝ ફૂડ ક્વોલિટી ચેકિંગ થશે
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ
  • વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી બેઠક
  • તમામ કલેક્ટર અને મનપા કમિશનરો સાથે થઈ હતી બેઠક
  • બેઠકમાં Dy.CM હર્ષભાઈ સંઘવીએ આપ્યા તપાસના આદેશ

Statewide Food Quality Checks : ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને આકર્ષક પ્રવાસન સ્થળો પર આવતા લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ અને સઘન અભિયાન શરૂ કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં સમગ્ર રાજ્યના કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને દેવસ્થાનના વહીવટદારોને અનેક કડક અને નક્કર આદેશો આપવામાં આવ્યા છે, જે યાત્રાધામોની મુલાકાતને વધુ સુરક્ષિત અને સુખદ બનાવશે.

પ્રવાસીઓના સ્વાસ્થ્યને અગ્રતા

આ નવા એક્શન પ્લાનનો સૌથી મોટો અને ચર્ચાસ્પદ મુદ્દો છે ખાણી-પીણીના એકમોની ગુણવત્તા ચકાસણી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે રાજ્યભરના યાત્રાધામોની આસપાસ આવેલી હોટલો, દુકાનો અને નાસ્તાની લારીઓ પર સરપ્રાઈઝ "ફૂડ ક્વોલિટી ચેકિંગ સ્ટ્રાઈક" હાથ ધરવામાં આવે. તાજેતરમાં, આ આદેશના ભાગરૂપે, 3જી ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે રાજ્યભર (Statewide) માં આકસ્મિક ચેકિંગની કાર્યવાહી શરૂ પણ થઈ ચૂકી છે. આ આદેશ પાછળનો હેતુ સ્પષ્ટ છે: પ્રવાસીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થવા જોઈએ. બેઠકમાં કડક સૂચના આપવામાં આવી છે કે ફૂડ ક્વોલિટીમાં સહેજ પણ ખામી જણાય કે અસુરક્ષિત ખોરાક વેચાતો જોવા મળે તો સંબંધિત સંચાલકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં, આ આકસ્મિક ચેકિંગની કાર્યવાહી હવે દર અઠવાડિયે નિયમિત રીતે ચાલુ રાખવા માટે પણ સૂચના અપાઈ છે, જેથી વેપારીઓમાં ગુણવત્તા જાળવવાની કાયમી ગંભીરતા રહે.

Advertisement

યાત્રાળુઓ માટે ખાસ એક્શન પ્લાન

ખોરાકની ગુણવત્તા ઉપરાંત, યાત્રાધામોની મૂળભૂત સુવિધાઓ સુધારવા પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ રાજ્યના નાગરિકો અને યાત્રાળુઓને પીવા માટે સારામાં સારી અને શુદ્ધ પાણીની સુવિધા મળી રહે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. યાત્રાળુઓના ધસારાનો અભ્યાસ કરીને જરૂરિયાત મુજબ પબ્લિક ટોયલેટની સંખ્યા વધારવા અને તે તમામ શૌચાલયોને નિયમિતપણે નીટ એન્ડ ક્લીન રાખવા માટે એક નક્કર યોજના તૈયાર કરવા આદેશ અપાયો છે. સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્રને સક્રિય થવા સૂચના આપવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમના માટે યાત્રાધામો પર ખાસ સુવિધાઓ ગોઠવવા પર ભાર મૂક્યો છે, જેથી તેઓ સરળતાથી દર્શન કે પ્રવાસ કરી શકે.

Advertisement

આ પણ વાંચો :  Banaskantha: રાજકીય તણાવ વચ્ચે DyCM હર્ષભાઈ સંઘવી જશે વડગામ, MLA જીગ્નેશભાઈ મેવાણીના પડકારનો આપશે જવાબ!

Tags :
Advertisement

.

×