Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપી
- મહાકાળી ધામ-મિની પાવાગઢ અંબોડમાં સાબરમતી નદી પર બનશે 234 કરોડનો બેરેજ
- 08 ગામોની 3500 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ-લાભ મળશે
- વડાપ્રધાનએ ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવ્યુઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રાચીન તીર્થ મહાકાળી ધામ- મિની પાવાગઢ અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, હર્ષ સંઘવી અને મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. તેમણે એક જ દિવસમાં એક સાથે કુલ 241 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોની ભેટ આ વિસ્તારને આપી હતી.
રૂપિયા 79 લાખના ખર્ચે બદપુરા ગામે ચેકડેમનું લોકાર્પણ કરાયું
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રૂપિયા 01.33 કરોડના ખર્ચે લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠે નીલકંઠ મહાદેવ મંદિર પાસે કાંઠા સંરક્ષણ દિવાલના કામનું લોકાર્પણ, રૂપિયા 79 લાખના ખર્ચે બદપુરા ગામે ચેકડેમનું લોકાર્પણ, રૂપિયા 3.13 કરોડના ખર્ચે માણસા ગામે નવા વિશ્રામ ગૃહનું નિર્માણ તથા જૂના વિશ્રામ ગૃહના સમારકામ અને મજબૂતીકરણના કામનું લોકાર્પણ, રૂપિયા 01.04 કરોડના ખર્ચે ચરાડા કન્યા પ્રાથમિક શાળામાં નવીન 8 વર્ગખંડોનું લોકાર્પણ અને રૂપિયા 52 લાખના ખર્ચે દેલવાડા પ્રાથમિક શાળામાં નવીન 4 વર્ગખંડોનું લોકાર્પણ કર્યું હતું.
સિંચાઇ લક્ષી યોજનાઓના કારણે અનેક ગામોને સિંચાઈ માટે પાણી મળ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના જે જિલ્લાઓમાં પાણીની અછત હતી, ત્યાં ખેતી તો દૂર પરંતુ શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહોતું તેવા વિસ્તારોમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી અભિગમ થકી નર્મદાજળથી સિંચાઇ યોજના, સુજલામ સુફલામ્ યોજના તથા સૌની યોજના જેવી સિંચાઇ લક્ષી યોજનાઓના અમલીકરણથી ગામે ગામ સિંચાઇ તથા પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે.
આવનારા દિવસોમાં સાબરમતી નદી પર 14 ડેમ બનાવીશુંઃ કેન્દ્રીય ગૃહમંત્રી
વધુમાં ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકારે તરસ્યાની તરસ છીપાવવાનું કામ કર્યું છે. દરિયામાં વહી જતાં વરસાદી પાણીને અટકાવતા, 9 હજારથી વધુ ગામડાઓને આપવાથી ભૂગર્ભજળનાં સ્તર ઊંચાં આવ્યાં છે. આવનારા દિવસોમાં સાબરમતી નદી પર 14 ડેમ બનાવી, નદી બારેમાસ પાણીથી છલોછલ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની નદીઓ પર ડેમ બનાવી તથા તમામ ગામડાઓમાં તળાવો બનાવવાથી વરસાદનું પાણી દરિયામાં જતું અટક્યું છે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં માણસા તાલુકાને જનસુખાકારીમાં વધારો કરતા વિકાસકાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા આ કાર્યોથી થનાર પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યના ગામે ગામ પાણી પહોંચાડતી સૌની યોજના, સુજલામ સુફલામ જેવી જળસંચયની… pic.twitter.com/KJltIcbx3w
— CMO Gujarat (@CMOGuj) January 15, 2025
છેવાડાના ગામો સુધી ફ્લોરાઈડ મુક્ત પાણી મળતું થયુંઃ કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રિય ગૃહમંત્રીએ ઉમેર્યું કે, ઉત્તર ગુજરાતમાં જળસમસ્યા નિવારવાના હેતુથી વડાપ્રધાનએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સુજલામ સુફલામ યોજના શરૂ કરાવી હતી, આ યોજનાને પરિણામે છેક છેવાડાના ગામો સુધી ફ્લોરાઈડ મુક્ત પાણી મળતું થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, અંબોડ મહાકાળી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અંબોડ પાસે સાબરમતી નદીમાં બેરેજ બનાવવાં માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ખાતરી આપી છે કે, આ બેરેજને એકથી દોઢ કિલોમીટર આગળ લઈ જવામાં આવશે. બેરેજ આગળ લંબાવવાથી મહાકાળી માતાજીના મંદિરના કિનારે સુંદર સરોવરનું નિર્માણ થશે અને અંબોડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં સરળતા રહેશે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબોડ ગામે સાબરમતી નદી પર બેરેજના કામના ખાતમુહૂર્ત સહિત ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શિક્ષણ… pic.twitter.com/ouT2DbktCU
— CMO Gujarat (@CMOGuj) January 15, 2025
આ પણ વાંચો: Start Up India :દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણમાં ગુજરાત અવ્વલ
અંબોડ ખાતે આ આયોજન અન્વયે 234 કરોડ રૂપિયાનો બેરેજ બનશેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, સાબરમતી નદીમાં ચોમાસા દરમિયાન વહી જતાં પાણીનો સંગ્રહ થાય તે માટે ધરોઈ ડેમથી નીચવાસમાં જુદી જુદી 8 જગ્યાએ સિરિઝ ઓફ બેરેજ બનાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. અંબોડ ખાતે આ આયોજન અન્વયે 234 કરોડ રૂપિયાનો બેરેજ આકાર પામશે, તેમ જ માણસાના 8 ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળશે એમ તેમણે ઉમેર્યું હતું.વડાપ્રધાનએ જળશક્તિ સાથે જનશક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવ્યું છે. તેમના દિશાદર્શનમાં પાછલા 23 વર્ષોમાં હજારો ચેકડેમ, બોરીબંધ, ખેત-તલાવડીઓ, ગામતળાવ જેવા જનભાગીદારી યુક્ત જળસંચય કામોથી કરોડો ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે, એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનએ અમૃતકાળમાં દરેક ગામાં અમૃત સરોવર નિર્માણ, તળાવોના નવીનીકરણ તેમ જ વરસાદી પાણીના સંગ્રહ માટે ‘કેચ ધ રેઈન’નો કોન્સેપ્ટ આપ્યો છે, તેને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે, એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રન્ટલાઈન વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા
મંત્રી કુંવરજી બાવળિયાએ કેન્દ્રીય મંત્રીના કર્યા વખાણ
આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારનાં ખેડૂતોની સિંચાઇના પાણી માટેની માંગણીઓને અનુલક્ષીને આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારના જળસ્તર ઉપર આવે અને જમીન હરિયાળી બને તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ મોટો સહયોગ આપ્યો છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, માણસાના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ પટેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ હરિ પટેલ, શોભના બારૈયા, મયંક નાયક, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લાના પદાધિકારીઓ અને અગ્રણીઓ, જળ સંપત્તિ, માર્ગ-મકાન તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, અધિક નિવાસી કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ તથા ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: અમિત શાહ કાલે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


