Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : પાંજરાપોળને આ પુલ અવરજવર માટે પાંચ દિવસ બંધ,જીલ્લા પ્રસાશને જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

અહેવાલ _  વિશ્વાસ  ભોજાણી -ગોંડલ    ગોંડલ નાં રાજવીકાળ નાં સો વર્ષ થી જુના બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરાયા બાદ પાંજરાપોળ થી મોવિયાચોકડી સુધીનો નદીનો પુલ તા.૨૩ થી તા.૨૭ દરમિયાન લાઇટ મોટર વ્હિકલ વાહનો સહિત દરેક પ્રકાર...
gondal   પાંજરાપોળને આ પુલ અવરજવર માટે પાંચ દિવસ બંધ જીલ્લા પ્રસાશને જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
Advertisement

અહેવાલ _  વિશ્વાસ  ભોજાણી -ગોંડલ 

Advertisement

ગોંડલ નાં રાજવીકાળ નાં સો વર્ષ થી જુના બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરાયા બાદ પાંજરાપોળ થી મોવિયાચોકડી સુધીનો નદીનો પુલ તા.૨૩ થી તા.૨૭ દરમિયાન લાઇટ મોટર વ્હિકલ વાહનો સહિત દરેક પ્રકાર ના વાહનવ્યવહાર માટે બંધ રાખવા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે.

Advertisement

Image preview

મોવિયા,ઘોઘાવદર, આટકોટ થી આવતા વાહનો માટે ઘોઘાવદર ચોક,સુખનાથનગર ચોક,માંધાતા સર્કલ, સરકારી હોસ્પિટલ થઈ સેન્ટ્રલ સિનેમા સુધી તથા જેતપુર તરફ થી આવતા વાહનો માટે જેલચોક, ડો.આંબેડકર ચોક, ગુલમોર રોડ, સેન્ટ્રલ સિનેમા થઈ સરકારી હોસ્પિટલ તરફ વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો છે.

Image preview
નગર પાલીકા ના ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ નાં જણાવ્યાં મુજબ આ પુલ પર મારવાડી યુનિ.નાં તજજ્ઞો દ્વારા બોડ બેરિંગ ટેસ્ટ કરાઇ રહ્યો હોય પુલ ને અવરજવર માટે પાંચ દિવસ બંધ કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે.

આ  પણ  વાંચો -છોટાઉદેપુર જીલ્લામાં વન વિકાસ નિગમનું કૌભાંડ સામે આવ્યું

Advertisement

.

×