Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot BJP Office: 15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર લાગ્યા તાળા

Rajkot BJP Office:  એક તરફ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નજીક આવી રહી છે, અને બીજી બાજુ કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) એ મહારાજાને ટાંકીને કરેલા નિવેદનને લઈ ગુજરાત (Gujarat) માં રાજ્યમાં વિરોધનું વાતાવરણ શાંત થઈ રહ્યું નથી. જોકે તાજેતરમાં...
rajkot bjp office  15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર લાગ્યા તાળા
Advertisement

Rajkot BJP Office:  એક તરફ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નજીક આવી રહી છે, અને બીજી બાજુ કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) એ મહારાજાને ટાંકીને કરેલા નિવેદનને લઈ ગુજરાત (Gujarat) માં રાજ્યમાં વિરોધનું વાતાવરણ શાંત થઈ રહ્યું નથી. જોકે તાજેતરમાં ગોંડલ (Gondal) માં ક્ષત્રિય સમાજના પ્રમુખ જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જયરાજસિંહએ કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) ના નિવેદનને ભૂલી જવાની વાત કરી હતી.

  • રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ ચરમસીમાએ
  • 15 વર્ષ બાદ ફરી એકવાર ભાજપ કાર્યલાયમાં તાળા
  • સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તાનું નિવેદન

Rajkot BJP Office

Advertisement

તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના વિવાદાસ્પદ નિવેદનને કારણે ગુજરાત રાજ્યમાં હજુ પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. તેની સાથે કરણી સેના પ્રમુમ રાજ સેખાવતે ભાજપ (BJP) માંથી રાજીનામું આપ્યુ છે. તે ઉપરાંત તેમણે પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ની માફીનો પણ અસ્વીકાર કર્યો છે. તો રાજકોટમાં ક્ષત્રિય સમાજ કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) નો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.

Advertisement

15 વર્ષ બાદ ફરી એકવાર ભાજપ કાર્યલાયમાં તાળા

જોકે રાજકોટ (Rajkot) ને ગુજરાતની અંદર ભાજપ (BJP) ની જીત માટે ભાજપગઢ કહેવામાં આવે છે. પરંતુ આજે રાજકોટ (Rajkot) માં દોઢ દાયકાબાદ ફરી ઈતિહાસ સર્જાયો છે. રાજકોટ (Rajkot) માં ભાજપ કાર્યાલય (BJP) પર તાળા લાગ્યા છે. જોકે ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રાજકોટ (Rajkot) ભાજપ (BJP) કાર્યાલય પર તાળા મારવામાં આવ્યા છે. છેલ્લે વર્ષ 2009 માં રાજકોટ (Rajkot) ભાજપ કાર્યાલયમાં તાળ્યા લાગ્યા હતા.

Rajkot BJP Office

સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તાનું નિવેદન

ત્યારે ભાજપ (BJP) પ્રવક્તા રાજ ધ્રુવએ જણાવ્યું છે કે, જે ગેટ પર તાળું મારવામાં આવ્યું છે. તે કાર્યાલયના પાછળના ભાગનો દરવાજો છે. આ ગેટ પર મોટાભાગે વિવિઆપી ગતિવિધિઓ કરવામાં આવતી હોય છે. આ દરવાજાના મારફતે ભાજપના અગ્રણીઓ અને કાર્યકારો આવતા હોય છે. તેથી આ ગેટને તાળું મરવામાં આવ્યું છે. તેથી રાજકોટ (Rajkot)માં ભાજપ (BJP) કાર્યાલય બંધ થવાની ગેર સમજ અને અફવા છે.

આ પણ વાંચો: VADODARA : ભર બપોરે મહિલા કાર ચાલકે ટુ વ્હીલર પર જતા દંપતિને ફંગોળ્યા, એકનું મોત

આ પણ વાંચો: Kutch BJP Program: લોકસભા ચૂંટણીને લઈ કચ્છમાં ભાજપે કર્યો ઝંઝાવાતી પ્રચાર

આ પણ વાંચો: VADODARA : “મારો ભાઇ બુટલેગર”…લોક ડાયરામાં સંગીતમય વખાણ બાદ પોલીસ જાગી

Tags :
Advertisement

.

×