Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંબાજીમાં રૂ. 7 હજાર ભરેલુ કવર સાણંદના 10 વર્ષના બાળકને મળ્યુ, જાણો પછી તેણે શું કર્યું?

મેળાની ભીડમાં ખોવાયેલી રકમ પાછી મેળવીને પ્રકાશભાઈ ખુશ થયા, જ્યારે 10 વર્ષના સાહીનની પ્રામાણિકતાએ સૌના દિલ જીતી લીધા.
અંબાજીમાં રૂ  7 હજાર ભરેલુ કવર સાણંદના 10 વર્ષના બાળકને મળ્યુ  જાણો પછી તેણે શું કર્યું
Advertisement
  • ભાદરવી પૂનમના મેળામાં જોવા મળી પ્રામણિકતા (Ambaji fair honesty )
  • 10 વર્ષના બાળકની પ્રમાણિકતાએ સૌના દીલ જીત્યા
  • 7 હજાર રૂપિયા ભરેલુ કવર બાળકને મળી આવ્યુ હતુ
  • વેપારી કવર શોધતા આવતા બાળકે વેપારીને પરત આપ્યુ
  • વહીવટી અધિકારીઓ દ્વારા બાળકનું સન્માન કરવામાં આવ્યું

Ambaji fair honesty : અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહા મેળામાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છલકાઈ રહ્યો છે, ત્યારે સાણંદથી દર્શનાર્થે આવેલા 10 વર્ષના બાળક સાહીનની પ્રામાણિકતાએ સૌના હૃદય જીતી લીધા છે. મેળામાં હજારોની ભીડ વચ્ચે જ્યારે લોકો પોતાની ભક્તિમાં લીન હતા, ત્યારે સાહીનને એક દુકાન પાસે જમીન પર પડેલું એક કવર મળ્યું હતું. કવર ખોલતા અંદર રૂ. 7,000ની મોટી રકમ હતી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં કોઈ પણ બાળક લાલચમાં આવી શકે છે, પરંતુ સાહીને બિલકુલ વિચલિત થયા વગર પ્રામાણિકતાનો માર્ગ અપનાવ્યો હતો.

થોડી જ વારમાં આ રકમના મૂળ માલિક, મૂળ અંબાજીના વેપારી પ્રકાશભાઈ વ્યાસ, ગભરાયેલી હાલતમાં પોતાની ખોવાયેલી રકમ શોધતા તે દુકાન પાસે આવ્યા. સાહીને કોઈ પણ જાતની ખચકાટ વિના તરત જ તેમને પૂરી જાણકારી આપી અને રકમ તેમને પરત કરી. અચાનક ખોવાયેલી મોટી રકમ પાછી મળતા પ્રકાશભાઈની આંખોમાં આભાર અને ખુશીના આંસુ છલકાઈ ઊઠ્યા હતા. આજના ભૌતિકવાદી યુગમાં નિર્દોષ બાળકની આ પ્રમાણિકતા જોઈને તેઓ ભાવુક થઈ ગયા.

Advertisement

Ambaji fair honesty

Ambaji fair honesty

Advertisement

બાળકનું કરવામાં આવ્યુ સન્માન (Ambaji fair honesty )

આ પ્રશંસનીય ઘટનાની જાણ મેળાના વહીવટી અધિકારીઓને થતાં, તાત્કાલિક બાળકના સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. 51 શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઈન્ટ પર મુખ્ય કંટ્રોલ રૂમના ઈનચાર્જ અને જિલ્લા આયોજન અધિકારી આઈ.એલ. પરમારે સાહીનની પ્રમાણિકતા અને સત્યનિષ્ઠાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, "ભીડભાડવાળા ધાર્મિક મેળામાં આવી ઘટનાઓ સામાન્ય છે, પરંતુ સાહીને જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે માત્ર બાળસહજ નિર્દોષતાનું નહીં, પણ સમાજ માટે પ્રામાણિકતા અને સદાચારનું એક જીવંત પ્રતિક છે."

હજુ પણ પ્રમાણિકતા જીવંત

સાહીનનું આ કાર્ય સાબિત કરે છે કે માનવતા અને પ્રામાણિકતા હજુ પણ જીવંત છે. આ ઘટના મેળામાં ઉપસ્થિત હજારો ભક્તો માટે એક પ્રેરણા બની રહી અને સાબિત કર્યું કે સારા મૂલ્યો વયમર્યાદાના મોહતાજ હોતા નથી.

આ પણ વાંચો :  Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ભંડાર કેન્દ્રોમાં આવક અત્યાર સુધી રૂ.1 કરોડ કરતા વધુ

Tags :
Advertisement

.

×