Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji: ઇડરમાળ ગામ સંપર્ક વિહોણું બન્યું, છાપરી નદી બે કાંઠે વહી

અંબાજી પાસે નું ઇડરમાળ ગામ સંપર્ક વિહોણું બન્યું,લોકો આખી રાત થી રસ્તો પાર કરવા નદી કાંઠે બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. ગુજરાત સરહદ પુરી થયા બાદ રાજસ્થાન રાજ્ય ના પ્રવેશ પર આ ગામ ઈડરમાળ આવેલુ છે.આ ગામમાં 50...
ambaji  ઇડરમાળ ગામ સંપર્ક વિહોણું બન્યું  છાપરી નદી બે કાંઠે વહી
Advertisement

અંબાજી પાસે નું ઇડરમાળ ગામ સંપર્ક વિહોણું બન્યું,લોકો આખી રાત થી રસ્તો પાર કરવા નદી કાંઠે બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. ગુજરાત સરહદ પુરી થયા બાદ રાજસ્થાન રાજ્ય ના પ્રવેશ પર આ ગામ ઈડરમાળ આવેલુ છે.આ ગામમાં 50 થી વધુ ઘર આવેલા છે.ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર ના ગામો ની સ્થિતિ ગંભીર બની છે અને છાપરી નદી બે કાંઠે ભયજનક સપાટીએ વહી રહી છે.સુરપગલા થી ઇડરમાળ જવાનો રસ્તો સંપર્ક વિહોણું બનતા લોકો ભારે મુશ્કેલી મા મુકાયા છે.

Image preview

Advertisement

Advertisement

ઘણાં લોકો રાત્રી થી રોડ પાર કરવા નદી કાંઠે બેઠેલા જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. દાંતા તાલુકામાં રાત્રે આવેલાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે.

Image preview

બીપોરજોય વાવાજોડા બાદની અસરો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ જોવા મળી છે. અરવલ્લી ગિરિમાળામાં સૂકાભટ્ટ નદીનાાળામાં પુષ્કળ પાણી વહી રહ્યું છે.2023 ના વર્ષ મા દાંતા તાલુકામાં 42 ટકા વરસાદ થયો છે.

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી

આપણ  વાંચો -કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા

Tags :
Advertisement

.

×