Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Savarkundla: સમાજ માટે પ્રેરણા, પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપી અને અગ્નિદાહ કર્યો

Savarkundla: દીકરીઓ પણ દીકરાની જેમ જ દરેક જવાબદારી પૂરી કરી શકે છે
savarkundla  સમાજ માટે પ્રેરણા  પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપી અને અગ્નિદાહ કર્યો
Advertisement
  • Savarkundla: સુથાર સમાજમાં એક અસાધારણ અને અત્યંત પ્રેરણાદાયક ઘટના જોવા મળી
  • 'દીકરો-દીકરી એક સમાન'ના ઉચ્ચ વિચારને સમાજ સમક્ષ ચરિતાર્થ કર્યો
  • પરંપરાઓ કરતાં માનવતા અને કર્તવ્યનું પાલન વધુ મહત્ત્વપૂર્ણ છે

Savarkundla: સુથાર સમાજમાં એક અસાધારણ અને અત્યંત પ્રેરણાદાયક ઘટના જોવા મળી છે. સ્વર્ગસ્થ ધનજીભાઈ બાબુભાઈ સોનિગરાની પાંચ દીકરીઓએ તેમના પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ જાતે કરીને 'દીકરો-દીકરી એક સમાન'ના ઉચ્ચ વિચારને સમાજ સમક્ષ ચરિતાર્થ કર્યો છે.

અંતિમયાત્રામાં કાંધ આપવા અને અગ્નિદાહ આપવાનું કાર્ય દીકરાઓ દ્વારા કરવામાં આવે છે

સામાન્ય રીતે ધાર્મિક પરંપરાઓ અનુસાર, અંતિમયાત્રામાં કાંધ આપવા અને અગ્નિદાહ આપવાનું કાર્ય દીકરાઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ, આ પાંચ સંસ્કારી દીકરીઓએ પોતાના પૂજ્ય પિતાને અંતિમ વિદાય આપી છે. આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ ઉપસ્થિત સૌને ભાવુક કર્યા હતા અને સમાજ માટે એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધનજીભાઈનું 75 વર્ષની વયે અવસાન થયું છે. તેમને કોઈ દીકરો ન હોવા છતાં, તેમની પાંચ દીકરીઓએ પુત્રની ગેરહાજરી અનુભવવા દીધી નહિ. તેમની અંતિમયાત્રામાં, પાંચેય દીકરીઓએ સ્મશાન સુધી કાંધ આપીને દીકરી તરીકેની તેમની ફરજ નિભાવી છે. ત્યારબાદ, સ્મશાનભૂમિમાં પણ આ દીકરીઓએ જ ચિતાને અગ્નિદાહ આપીને પિતાને મોક્ષની યાત્રામાં સહાય કરી છે.

Advertisement

Savarkundla: દીકરીઓ પણ દીકરાની જેમ જ દરેક જવાબદારી પૂરી કરી શકે છે

આ પ્રસંગે હાજર સુથાર સમાજના વડીલો અને અગ્રણીઓએ આ દીકરીઓની હિંમત, શ્રદ્ધા અને પિતા પ્રત્યેની અસીમ શ્રદ્ધાને ખૂબ બિરદાવી હતી. આ ઘટના એ વાતનો સચોટ પુરાવો છે કે દીકરીઓ પણ દીકરાની જેમ જ દરેક જવાબદારી પૂરી કરી શકે છે. સ્વ.ધનજીભાઈએ તેમની દીકરીઓને આપેલા ઉમદા સંસ્કારોનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યાં પ્રેમ અને શ્રદ્ધા હોય, ત્યાં પરંપરાઓ કરતાં માનવતા અને કર્તવ્યનું પાલન વધુ મહત્ત્વપૂર્ણ છે.

Advertisement

અહેવાલ: ફારુક કાદરી, સાવરકુંડલા 

આ પણ વાંચો: Delhi Building Collapsed: પંજાબી બસ્તીમાં 4 માળની ઇમારત ધરાશાયી, 14 લોકોને રેસ્ક્યુ કરાયા

Tags :
Advertisement

.

×