ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : અંબાજીમાં માગશર સુદ પૂનમે ભક્તિનું ઘોડાપૂર! મોહનથાળના પ્રસાદ સાથે હજારો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Banaskantha : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર આજે માગશર સુદ પૂનમના પાવન પ્રસંગે ભક્તિના મહાસાગરમાં ડૂબેલું જોવા મળ્યું હતું. દર મહિનાની પૂનમની જેમ આ પૂનમે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
11:31 AM Dec 04, 2025 IST | Hardik Shah
Banaskantha : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર આજે માગશર સુદ પૂનમના પાવન પ્રસંગે ભક્તિના મહાસાગરમાં ડૂબેલું જોવા મળ્યું હતું. દર મહિનાની પૂનમની જેમ આ પૂનમે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
A_flood_of_devotion_on_Magshar_Sud_Poonam_in_Ambaji_Banaskantha_Gujarat_First

Banaskantha : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) આજે માગશર સુદ પૂનમના પાવન પ્રસંગે ભક્તિના મહાસાગરમાં ડૂબેલું જોવા મળ્યું હતું. દર મહિનાની પૂનમની જેમ આ પૂનમે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં ભક્તોનું સેલાબ ઉમટતાં સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

મંગળા આરતીમાં લાંબી કતારો અને ભવ્ય શણગાર

આજે માગશર સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને વહેલી સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ભક્તિભાવ સાથે કતારબદ્ધ ઊભા રહ્યા હતા. પૂનમના પાવન અવસરને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર (Ambaji Temple) ને રંગબેરંગી ફૂલોથી અદભૂત રીતે શણગારવામાં આવ્યું હતું. આ ભવ્ય શણગાર ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને દૃશ્યોને વધુ દિવ્યતા પ્રદાન કરતો હતો.

આરતીની વિશેષ પરંપરા અને મોહનથાળનો પ્રસાદ (Ambaji Temple)

અંબાજી મંદિરમાં પૂનમના દિવસે આરતીની એક વિશેષ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું જેમા,

આરતી પૂર્ણ થયા બાદ ભક્તોને મા અંબાનો પ્રસિદ્ધ અને મીઠો ગણાતો મોહનથાળનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો, જે આ ભક્તિમય દિવસને વધુ મધુર બનાવે છે.

ભક્તોની સુવિધા માટે ચુસ્ત વ્યવસ્થા

મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને પૂરતી અને ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ પગલાં લેવામાં આવ્યા હતા. જેમ કે, પીવાનું પાણી અને અન્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી. તે સિવાય કોઈપણ આરોગ્યલક્ષી જરૂરિયાત માટે મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત નિગરાની રાખવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, માગશર સુદ પૂનમનો આ ઉત્સવ ભક્તોની આસ્થા, માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને વહીવટી તંત્રની સુચારુ વ્યવસ્થાનું સુંદર સમન્વય બની રહ્યો હતો, જેના કારણે દૂર-દૂરથી આવેલા ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લીધો.

આ પણ વાંચો :  બનાસકાંઠામાં દિવાળીનો પ્રકાશોત્સવ : Ambaji શક્તિપીઠને રંગબેરંગી રોશનીથી શણગાર્યું

Tags :
Ambaji Temple PoonamBanaskanthaDevotees RushFloral DecorationGujarat-Rajasthan PilgrimsMangala AartiMohanthal PrasadPilgrim FootfallSecurity ArrangementsShaktipith AmbajiSpecial Aarti Tradition
Next Article