Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા રાજીનામું આપશે, ગેનીબેનનું નામ કેમ ચર્ચાયું ?

Banaskantha જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા (Bharatsinh Vaghela) પક્ષમાંથી રાજીનામું આપવાના છે. ભરતસિંહ રાજીનામા પ્રકરણમાં ગેનીબેન (Geniben Thakor) નું નામ કેમ ચર્ચામાં આવ્યું ?
banaskantha   પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા રાજીનામું આપશે  ગેનીબેનનું નામ કેમ ચર્ચાયું
Advertisement
  • બનાસકાંઠામાં કોંગ્રેસમાં પડી શકે છે મોટું ગાબડું
  • પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ Bharatsinh Vaghela રાજીનામું આપશે
  • કોંગ્રેસ કાર્યકરોનું મોરલ ડાઉન કરી રહી છે - ભરતસિંહ
  • પાર્ટી કદર નથી કરતી એટલે રહેવામાં મજા નથી - ભરતસિંહ

Banaskantha : પૂર્વ જિલ્લા કોંગ્રેસ ભરતસિંહ વાઘેલા (Bharatsinh Vaghela) ની નારાજગીની ચર્ચા ચોમેર થઈ રહી છે. 18 વર્ષની વયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખથી લઈને પ્રદેશ કક્ષાએ વિવિધ હોદ્દાઓની કમાન સંભાળી ચૂક્યા છે. તો પછી એવું શું થયું કે ભરતસિંહ પક્ષથી નારાજ થઈ ગયા છે અને તેઓ રાજીનામું આપવાના છે. શું ભરતસિંહ રાજીનામા પ્રકરણમાં ગેનીબેન (Geniben Thakor) નું કોઈ કનેકશન છે ? શું તાજેતરની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ આ પાછળ કારણભૂત છે કે પછી પ્રદેશ પ્રમુખમાં પદની ખેંચતાણને લીધે કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે ? આ તમામ સવાલોનો જવાબ મેળવવા વાંચો વિગતવાર.

શું કહે છે ભરતસિંહ વાઘેલા ?

18 વર્ષની વયથી કોંગ્રેસ સાથે જોડાઈ ગયેલ ભરતસિંહ વાઘેલાએ પક્ષમાં જિલ્લા પ્રમુખથી લઈને પ્રદેશ કક્ષાએ વિવિધ હોદ્દાઓની કમાન સંભાળી છે. જો કે અત્યારે ભરતસિંહ કોંગ્રેસથી નારાજ છે. તેમની નારાજગીને લીધે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને છેડો ફાડે તેવી ચર્ચાઓ ચોમેર થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસ જ પોતાના કાર્યકરોનું મોરલ ડાઉન કરી રહી છે. પાર્ટી કદર કરતી નથી તેથી સાથે રહેવામાં મજા નથી. ભરતસિંહે વાવના સાંસદ ગેનીબેન ઠાકોર પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. ભરતસિંહે કહ્યું કે, ગેનીબેનની હઠના લીધે મને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ પરથી હટાવવામાં આવ્યો. તેથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સાંસદ ગેનીબેન ઠાકોર પ્રત્યેની નારાજગીને લઈને ભરતસિંહ રાજીનામું આપશે.

Advertisement

આ પણ વાંચોઃ Vadodara: વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ બાળકો સુરક્ષિત: DCP પન્ના મોમાયા

Advertisement

ભાજપમાં પણ જોડાઈ શકે છે

પૂર્વ જિલ્લા કોંગ્રેસ ભરતસિંહ વાઘેલાની નારાજગીને લીધે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભરતસિંહ વાઘેલાની નારાજગી પાછળ વાવના સાંસદ ગેનીબેન ઠાકોરને પણ કારણભૂત ગણવામાં આવી રહ્યા છે. ખુદ ભરતસિંહ પોતાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી હટાવા પાછળ ગેનીબેનની હઠને જવાબદાર ગણાવી રહ્યા છે. આ ઉપરાંત હવે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ભરતસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. જાગીરદાર સમાજ (Jagirdar community) ના 1,40,000 મત ધરાવતા ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપે તો બનાસકાંઠામાં કોંગ્રસને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. રાજીનામું આપ્યા બાદ ભરતસિંહ વાઘેલા જો ભાજપમાં જોડાશે તો ભાજપ માટે બગાસુ ખાતા પતાસુ મળ્યા જેવો ઘાટ સર્જાશે.

આ પણ વાંચોઃ Gujarat Monsoon: બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ, નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા

Tags :
Advertisement

.

×