Boiler system : રાજ્યમાં નોંધાયેલા તમામ કાર્યરત બોઈલરોનું 100 ટકા નિરીક્ષણ
Boiler system : રાજ્યમાં અત્યારસુધીમાં ‘બોઇલર તંત્ર’ દ્વારા નોંધાયેલા કાર્યરત બોઈલરોનું ૧૦૦ ટકા નિરીક્ષણ: છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ પ્રાણઘાતક અકસ્માત નહીં
-----
• વર્ષ ૨૦૨૨ થી ૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૨૩ હજાર કરતાં વધુ બોઈલર અને ૬૭૫ ઇકોનોમાઇઝરને પ્રમાણિત કરાયા
• બોઈલર નિરીક્ષણ ફી થકી સરકારને રૂ. ૩૬ કરોડથી વધુની માતબર આવક પણ થઈ
-----
Boiler system : ગુજરાત આજે અનેક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનું હબ છે. આ ઉદ્યોગોમાં વપરાતા બોઇલરોના ઉપયોગ દરમિયાન એક્સપ્લોઝન-વિસ્ફોટની ઘટના અટકાવીને જાનમાલ-મિલકતનું રક્ષણ કરવા રાજ્ય સરકારનો ટેકનોક્રેટ વિભાગ એટલે ‘બોઇલર તંત્ર’ (Boiler system') શ્રમઆયુક્ત(Labour Commissioner)ની સીધી દેખરેખ હેઠળ ચાલતા આ બોઇલર તંત્ર દ્વારા અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા તમામ કાર્યરત બોઈલરોનું ૧૦૦ ટકા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આમ, આ કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ પ્રાણઘાતક અકસ્માત નોંધાયા નથી.
ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput)તથા શ્રમ-રોજગાર રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ (Kunvarji Halpati)ના નેતૃત્વમાં ‘બોઈલર તંત્ર’ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૨૩,૭૧૯ બોઈલર અને ૬૭૫ ઇકોનોમાઇઝર-Economizerને પ્રમાણિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૨૨ કરોડ જેટલુ બજેટ ફાળવવામાં આવ્યું છે, જે અન્વયે નિરીક્ષણ ફી થકી રૂ. ૩૬ કરોડથી વધુની માતબર આવક પણ થઈ છે.
Boiler system -બોઇલર કાયદાઓનું અસરકારક અમલીકરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં ‘બોઇલર તંત્ર’ રાજ્યના વિકાસ સાથે જાહેર સલામતીના લક્ષ્યાંકનો હેતુ પાર પાડવા તેમજ આજના સમયની માંગને પહોંચી વળવા હંમેશા અસરકારક અને ગુણાત્મક સેવાઓ પૂરી પાડે છે. ‘બોઇલર તંત્ર’- Boiler system દ્વારા ઉદ્યોગોમાં ઉત્પાદનને અસર ન થાય તે રીતે શ્રમિક અને સંપત્તિને અકસ્માતોથી બચાવવા, બોઇલર કાયદાઓનું અસરકારક અમલીકરણ કરી કાયદાકીય રક્ષણ-સલામતી પૂરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત ‘બોઈલર તંત્ર’ દ્વારા ઊર્જા શક્તિનો બચાવ કરી પર્યાવરણની જાળવણી કરવી, ઔદ્યોગિક સલામતી અને શાંતિનું વાતાવરણ સ્થપાય, ઉદ્યોગોમાં પ્રમાણિત સક્ષમ અને કુશળ માનવબળ પૂરું પાડી કામદારોનો ઉત્કર્ષ-વિકાસ કરવો, રાષ્ટ્રીય સંપત્તિનું નુકશાન અટકાવવું તેમજ બોઇલરોની સલામતી અને કાર્યક્ષમતામાં સતત સુધારણા કરવા જેવી વિવિધ કામગીરી પણ કરવામાં આવે છે.
બોઇલર અધિનિયમ-૨૦૨૫ Boiler Act-2025 મુજબ જેની વોલ્યુમેટ્રીક કેપેસીટી ૨૫ લિટરથી વધુ તથા વર્કિંગ ગેજ પ્રેશર ૧ Kg/cm2 કરતાં વધુ હોય તેમજ પાણી ૧૦૦ અંશ સેલ્સીયસ કરતાં વધુ તાપમાને ગરમ થતું હોય તેવા તમામ બોઇલરો કે સ્ટીમ જનરેટરોનો ઉપયોગ નિયમોનુસાર નોંધણી કર્યા વિના કરી શકાશે નહી.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગુજરાતમાં : મહાત્મા મંદિરમાં હિન્દી દિવસનો ઉત્સાહ


