Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : રાણપુર શહેરના મુખ્ય માર્ગ બન્યો બિસમાર, રહીશો પરેશાન

અહેવાલ -ગજેન્દ્ર ખાચર બોટાદ  રાણપુર શહેરના બિસમાર રોડના કારણે વાહન ચાલકો તેમજ રહીશો પરેશાન.સરપંચનો આક્ષેપ 4 કરોડ ના 2.5 વર્ષ પહેલાં રોડના કામમાં થયો હતો ભ્રષ્ટાચાર. અધિકારી ઓને કરાશે રજુવાત જો કામ નહીં થાય તો સરપંચે આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી...
botad   રાણપુર શહેરના મુખ્ય માર્ગ બન્યો બિસમાર  રહીશો પરેશાન
Advertisement

અહેવાલ -ગજેન્દ્ર ખાચર બોટાદ 

રાણપુર શહેરના બિસમાર રોડના કારણે વાહન ચાલકો તેમજ રહીશો પરેશાન.સરપંચનો આક્ષેપ 4 કરોડ ના 2.5 વર્ષ પહેલાં રોડના કામમાં થયો હતો ભ્રષ્ટાચાર. અધિકારી ઓને કરાશે રજુવાત જો કામ નહીં થાય તો સરપંચે આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

Advertisement

સામાન્ય વરસાદમાં મુખ્ય માર્ગ ધોવાયો
બોટાદ જિલ્લા આવેલ રાણપુર શહેર આશરે 25 હજાર ની વસ્તી ધરાવતું આ છે રાણપુર શહેર રાણપુર શહેરના મુખ્ય માર્ગ જે ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય જવા માટે નો મુખ્ય માર્ગ છે. આ મુખ્ય માર્ગ પર શાળા સહિત બેંક તેમજ આરોગ્ય માટે સરકારી હોસ્પિટલ આવેલ છે જે રસ્તા નું સામાન્ય વરસાદમાં ધોવાણ થતા રોડ ખાડા માં છે કે ખાડા માં રોડ છે તે કહેવું મુશ્કેલ બન્યું છે.

Advertisement

Image preview

સ્થાનિકો માં રોષ

ત્યારે હાલ તો રાણપુર શહેર ને અન્ય જોડતો અણિયાળી કસ્બા ખાતે ના રોડ ના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે કારણ કે આશરે 10 થી વધુ વર્ષ થી આ રોડની આ પરિસ્થિતિ છે કારણ કે આ વિસ્તાર ના રહીશો ગ્રામ પંચાયત માં રજુવાત કરે છે પણ સરપંચ દ્રારા રજુવાત બાદ ખાડા બુરવાની કામગીરી કરવામાં આવે છે પણ રોડ બનાવવાનું કામ થતું નથી જેના કારણે રોડ પર થી પસાર થવા માં ખૂબ હાલાકી નો સામનો કરવો પડે છે અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાય છે પણ પરિસ્થિતિ બદલાતી નથી જેને લઈ સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે.

Image preview

સરપંચે આપી આંદોલનની ચીમકી
રાણપુર શહેરમાં ગ્રામપંચાયત આવેલ છે સરપંચ ગોસુભા પરમાર દ્રારા જણાવવામાં આવે છે કે પોલીસ સ્ટેશન થી જતો રોડ મનુભાઈ શેઠ શાળા સુધી નો ક્યાં વિભાગ માં આવે છે તે આજદિન સુધી ખબર નથી કારણ કે સ્ટેટ હાઇવે ઓથોરિટી ને કહો કે જિલ્લા પંચાયત હોય કે માર્ગ મકાન વિભાગ હોય તમામ નો એક જ જવાબ મળે છે કે આરોડ અમારા માં આવતો નથી ત્યારે હાલ તો ગ્રામપંચાયત ના ખર્ચે અમે રોડ પર તાસ નાખી ખાડા બુરવાનું કામ કરી એ છી તેમજ રાણપુર શહેર નો અંદર નો રોડ આશરે 2.5 વર્ષ પહેલાં બનેલો છે જેમાં આશરે 4 કરોડ નો ખર્ચ કરવામાં આવેલ છે પણ અધિકારીની મિલિભગત ના કારણે રોડ ના નબળા કામ ને લઈ હાલ તો લોકો હેરાનગતિ નો સામનો કરે છે આગામી દિવસો માં કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારીને રજુવાત કરવામાં આવશે અને તેમ છતાં જો પ્રસન્ન નું નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી હાલ તો સરપંચ દ્રારા ઉચ્ચારવામા આવી છે.

આ પણ  વાંચો- GUJARAT RAIN : ધોધમાર વરસાદથી રાજ્યમાં મેઘમહેર, જાણો કેટલી થઇ નવા નીરની આવક

Tags :
Advertisement

.

×