ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છોટાઉદેપુર બાળકી હત્યા કેસ: તાંત્રિક વિધિ નહીં, આંતરિક તકરારે લીધો નિર્દોષનો જીવ

ChhotaUdepur : આપણા દેશમાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. જોકે, આવું દેશમાં તમાામ લોકો નથી માની રહ્યા. તાજેતરમાં બનેલી એક ઘટનાએ આ વાત પર વિશ્વાસ કરવા મજબૂર કર્યા છે.
03:57 PM Mar 11, 2025 IST | Hardik Shah
ChhotaUdepur : આપણા દેશમાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. જોકે, આવું દેશમાં તમાામ લોકો નથી માની રહ્યા. તાજેતરમાં બનેલી એક ઘટનાએ આ વાત પર વિશ્વાસ કરવા મજબૂર કર્યા છે.
Chhota Udepur girl murder case

ChhotaUdepur : આપણા દેશમાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. જોકે, આવું દેશમાં તમાામ લોકો નથી માની રહ્યા. તાજેતરમાં બનેલી એક ઘટનાએ આ વાત પર વિશ્વાસ કરવા મજબૂર કર્યા છે. જીહા, છોટાઉદેપુરના બોડેલીમાં બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે, આ હત્યા તાંત્રિક વિધિ અને અંધક્ષદ્ધામાં થઇ હતી, પરંતુ તાજેતરમાં સ્પષ્ટતા થઇ કે આ હત્યા કુહાડીના ઘા ઝીંકીને કરવામાં આવી હતી. કોણે આ હત્યા કરી અને તેની પાછળનું કારણ શું છે આવો જાણીએ આ આર્ટિકલમાં...

ઘટનાનો ઘટસ્ફોટ: પાડોશી જ નીકળ્યો હત્યારો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા પાણેજ ગામમાં સાડા ચાર વર્ષની એક નાનકડી બાળકીની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો હતો. શરૂઆતમાં આ ઘટનાને અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિ સાથે જોડવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસમાં થયેલા નવા ખુલાસાએ આ મામલાને એક અલગ જ દિશા આપી છે. આ હત્યા પાછળ કોઈ ધાર્મિક આડંબર કે અંધવિશ્વાસ નહીં, પરંતુ આંતરિક તકરાર અને આરોપીની માનસિક વિકૃતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે આરોપી લાલુ તડવીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી. જાણવા મળ્યું કે, આ હત્યા તાંત્રિક વિધિ કે અંધશ્રદ્ધાના નામે નહીં, પરંતુ મૃતક બાળકીના પરિવાર સાથેની જૂની અદાવતના કારણે કરવામાં આવી હતી. આરોપીએ નિર્દોષ બાળકી પર કુહાડીથી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાએ ગામમાં ભય અને આક્રોશનું વાતાવરણ ઊભું કરી દીધું છે.

આરોપીની માનસિક સ્થિતિ અને એકલવાયું જીવન

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપી લાલુ તડવી માનસિક રીતે અસ્થિર હતો. તેની વિકૃત માનસિકતા અને આક્રમક સ્વભાવના કારણે તેની પત્નીએ પણ તેને છોડી દીધી હતી. છેલ્લા 10 વર્ષથી લાલુ એકલો જ રહેતો હતો અને તેની પત્ની બાળકોને લઈને તેનાથી અલગ થઈ ગઈ હતી. આ એકલતા અને માનસિક વિકૃતિએ તેને આવા ઘાતકી કૃત્ય તરફ દોરી ગયો હોવાનું પોલીસનું માનવું છે. જણાવી દઇએ કે, શરૂઆતમાં આ હત્યાને તાંત્રિક વિધિ સાથે જોડવાના પ્રયાસો થયો હતો, પરંતુ પોલીસે આરોપીના ઘરની તપાસ કરતાં ત્યાંથી કોઈ તાંત્રિક સામગ્રી કે વિધિના સંકેતો મળ્યા નથી. આ ખુલાસાએ સ્પષ્ટ કરી દીધું કે આ ઘટના પાછળ અંધશ્રદ્ધા નહીં, પરંતુ વ્યક્તિગત ઝઘડો અને આરોપીની વિકૃત મનોવૃત્તિ જવાબદાર હતી.

પરિવાર અને ગામમાં શોકનું મોજું

આ નિર્દોષ બાળકીની હત્યાથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પાણેજ ગામના લોકોમાં પણ આ ઘટનાને લઈને ગુસ્સો અને ડરનો માહોલ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. જણાવી દઇએ કે, પોલીસે આરોપી લાલુ તડવીની ધરપકડ કરીને તેની સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં આ ઘટનાના તમામ પાસાંઓને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

આ પણ વાંચો :   Surat : પરિણિતા પર વિધિના નામે દુષ્કર્મ આચરનારા ભૂવાની ધરપકડ

Tags :
Axe Murder CaseBodeli Child MurderChhota Udepur Murder CaseChhotaUdepurChhotaUdepur Girl murdered caseChhotaUdepur Girl murdered case NewsGujarat Crime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHardik ShahLalu Tadvi ArrestedMental Illness and CrimeNeighbor Kills ChildPolice Investigation in Child MurderSuperstition or Personal DisputeTribal Man Arrested
Next Article