ગ્રીન સિટિ ગાંધીનગરે વૃક્ષોના છેદનથી હરિયાળી ગુમાવી
ગાંધીનગર સૌથી હરિયાળા શહેર તરીકે જાણીતું છે, પરંતુ તાજેતરનો સર્વે રિપોર્ટ ચોંકાવનારો છે. આ અહેવાલ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે લાલબત્તી સમાન છે. ગાંધીનગરના વૃક્ષો હવે ઘટી રહ્યા છે અને છેલ્લા સાત વર્ષમાં 30 ટકા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. આ અહેવાલ બાદ ગુજરાત વન વિભાગે નિર્ણય કર્યો છે કે ગાંધીનગરમાં ઘટતી જતી વૃક્ષની ગીચતા ફરીથી વધારવા માટે 22 લાàª
Advertisement
ગાંધીનગર સૌથી હરિયાળા શહેર તરીકે જાણીતું છે, પરંતુ તાજેતરનો સર્વે રિપોર્ટ ચોંકાવનારો છે. આ અહેવાલ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે લાલબત્તી સમાન છે. ગાંધીનગરના વૃક્ષો હવે ઘટી રહ્યા છે અને છેલ્લા સાત વર્ષમાં 30 ટકા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.
આ અહેવાલ બાદ ગુજરાત વન વિભાગે નિર્ણય કર્યો છે કે ગાંધીનગરમાં ઘટતી જતી વૃક્ષની ગીચતા ફરીથી વધારવા માટે 22 લાખ વૃક્ષો વાવવામાં આવશે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરે 2017 અને 2019 વચ્ચે વૃક્ષોની ગીચતા ગુમાવી દીધી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગર સાધારણ ગીચ જંગલ વિસ્તાર, 40-70 ટકા સાથે કેનોપીની ઘનતા અને ગાઢ લીલા ધરાવતો ખુલ્લો વિસ્તાર બની ગયો છે. માત્ર 10-40 ટકા વૃક્ષની ઘનતા સાથેનું આવરણ બની ગયું છે.
ગ્રીન સીટી ઓળખાતું હાલનું ગાંધીનગર પહેલા જેવું હરિયાળું રહ્યું નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ વિસ્તરતું જતું શહેર માનવામાં આવે છે. ગાંધીનગરમાં છેલ્લા એક દાયકામાં અનેક નવા પ્રોજેક્ટ આવ્યા છે. સિમેન્ટ અને કોંક્રીટના જંગલને કારણે વૃક્ષોનો સોંથ વાળી દેવામાં આવ્યો છે. જેમાં અનેક કનસ્ટ્રક્શનના પ્રોજેક્ટ્સ, ફ્લાયઓવર,બિઝનેસ હબ વગેરેનો સમાવેશ થાય છે.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 2003ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે તે સમયે ગાંધીનગરમાં દર 100 વ્યક્તિએ 416 વૃક્ષો હતા. પછી 2015માં 100 વ્યક્તિએ 456 વૃક્ષો હતા અને ફરી તે ઘટીને 100 વ્યક્તિએ 412 વૃક્ષો થઈ ગયા છે, તેથી 2015 પછી જે વૃક્ષો વધ્યા તેની ગીચતા વધી અને ઘટી. 2005 પછી ગાંધીનગરમાં વિકાસના કામો શરૂ થયા. 2020 સુધીમાં ગાંધીનગર એવું બન્યું કે ઘરની છત, શેરીઓ, રસ્તાઓ આકાશમાંથી દેખાવા લાગ્યા, જે 2015 પહેલા દેખાતા ન હતા. તે સમયે વિમાનમાંથી માત્ર ગાઢ વૃક્ષો જ દેખાતા હતા.
વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીનો વિકાસના કારણે વૃક્ષો કાપવા પડ્યા તે પર્યાવરણને સૌથી મોટું નુકસાન છે અને આ નુકસાનની હવે ભરપાઈ કરવામાં આવશે.


