ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 16 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતના વિવિધ શહેરોમાંથી આજે ઘણા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે ખેતી, વિકાસ, શિક્ષણ, પાણીની તંગી, અપરાધ અને સામાજિક મુદ્દાઓને આવરી લે છે.
07:03 AM May 16, 2025 IST | Hardik Shah
ગુજરાતના વિવિધ શહેરોમાંથી આજે ઘણા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે ખેતી, વિકાસ, શિક્ષણ, પાણીની તંગી, અપરાધ અને સામાજિક મુદ્દાઓને આવરી લે છે.
Gujarati Top News 16 May 2025

આજે 16 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ગુજરાતના વિવિધ શહેરોમાંથી આજે ઘણા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે ખેતી, વિકાસ, શિક્ષણ, પાણીની તંગી, અપરાધ અને સામાજિક મુદ્દાઓને આવરી લે છે. ગાંધીનગરમાં તુવેર ખરીદીમાં ગેરરીતિ અને ચૂકવણીની મૂંઝવણ તેમજ અમિત શાહની મુલાકાત દરમિયાન રૂ. 700 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ચર્ચામાં છે. અમદાવાદમાં નિકોલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અન્યાયના આક્ષેપો અને ગ્રામ્ય શાળાઓમાં વિદ્યાર્થી ટ્રાન્સફરનો કારસો ધ્યાન ખેંચે છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની ગંભીર અછત, જામનગરમાં જાતિ-આવકના દાખલા માટે વાલીઓની હાલાકી, ગીર સોમનાથના ઉમેદપરા ગામની જળ સંગ્રહ પહેલ, પંચમહાલમાં ભાઈની હત્યાની ચોંકાવનારી ઘટના અને અમરેલીમાં નકલી લેટર કાંડમાં પાયલ ગોટીને સમન્સ જેવા મુદ્દાઓ રાજ્યની વર્તમાન પરિસ્થિતિનું વ્યાપક ચિત્ર રજૂ કરે છે.

ગાંધીનગર

નજીકના ભૂતકાળમાં ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી હાથ ધરી હતી. જોકે, સેટેલાઇટ સર્વે દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો કે ઘણા ખેડૂતોએ તુવેરનું વાવેતર જ કર્યું નથી. આવા ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન સરકારે જે ખેડૂતો પાસેથી તુવેર ખરીદી લીધી છે, તેમની ચૂકવણીને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. આ મુદ્દે સ્થાનિક અધિકારીઓની પ્રતિક્રિયા જાણવા માટે તેમની બાઈટ સાથેની વિગતવાર સ્ટોરી તૈયાર કરવામાં આવશે.

અમિત શાહનો ગાંધીનગર પ્રવાસ

17 મે, 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર શહેર અને જિલ્લાની મુલાકાતે આવશે. આ દરમિયાન, ગાંધીનગર જિલ્લામાં રૂ. 700 કરોડના વિકાસના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુર્હૂત તેમના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ અંગે ગાંધીનગર મનપા અથવા કલેક્ટરની બાઈટ સાથે વિગતવાર સ્ટોરી તૈયાર કરાશે.

અમદાવાદ

અમદાવાદના નિકોલ વોર્ડની કઠવાડા ઇન્દિરા ગાંધી વસાહતમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સ્થાનિકો સાથે અન્યાય થયો હોવાનો આરોપ લાગ્યો છે. આ મુદ્દે વસાહતના રહીશો 17 મેના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીએ એકઠા થઈને રજૂઆત કરવાના છે. આ ઘટનાની સંપૂર્ણ વિગતો સાથે સ્ટોરી તૈયાર કરાશે.

ગ્રામ્ય શાળાઓમાં વિદ્યાર્થી ટ્રાન્સફરનો કારસો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળાઓમાં શિક્ષકો દ્વારા પોતાની નોકરી બચાવવા વિદ્યાર્થીઓને એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફર કરીને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે દર્શાવવાનો કારસો ઝડપાયો છે. આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરીને તેમના ઇન્ક્રિમેન્ટ રોકવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે વિગતવાર સ્ટોરી તૈયાર કરાશે.

ભાવનગર

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં હાલ પાણીની ગંભીર અછત જોવા મળી રહી છે. હાલ ડેમમાં માત્ર 21 ફૂટ પાણી (એટલે કે 36% ક્ષમતા) બચ્યું છે. આ ડેમ ભાવનગર શહેર, પાલીતાણા અને મહુવાને પીવાનું પાણી પૂરું પાડે છે. ઉનાળાની શરૂઆતમાં જ આ સ્થિતિને કારણે આગામી દિવસોમાં પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે. આ અંગે ડેમ સેક્શનના અધિકારીની બાઈટ અને વોક-થ્રૂ સાથે સ્ટોરી તૈયાર કરાશે.

જામનગર

ધોરણ 10 અને 12ના પરિણામો બાદ વિદ્યાર્થીઓના એડમિશન માટે જાતિ અને આવકના દાખલા કઢાવવા વાલીઓને લાંબી લાઇનો લગાવવી પડી રહી છે. આ પ્રક્રિયામાં થતી તકલીફને દૂર કરવાની માગ વાલીઓએ ઉઠાવી છે. આ અંગે એક વાલી અને અધિકારીની બાઈટ સાથે સ્ટોરી તૈયાર કરાશે.

ગીર સોમનાથ

ગીરગઢડા તાલુકાના ઉમેદપરા ગામે ‘જળ એ જ જીવન’ની ઉક્તિને સાકાર કરી છે. આ ગામની 3,000થી 4,000ની વસ્તી ધરાવતા દરેક ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ રસોઈ સહિતના કામો માટે થાય છે, જેનાથી પાણીની તંગી ટળે છે અને રોગો પણ ઓછા થાય છે. આ ગામ ગુજરાતના અન્ય ગામો માટે જળ સંગ્રહનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. ગ્રામજનો અને સરપંચની બાઈટ સાથે સ્ટોરી તૈયાર કરાશે.

પંચમહાલ

ગોધરા તાલુકાના તરવડી ગામમાં નાનાભાઈએ સામાન્ય બોલાચાલીની અદાવતમાં મોટાભાઈ પર લોખંડની કોસ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી. મૃતકની પત્નીની ફરિયાદના આધારે ગોધરા તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. આ ઘટનાના વિઝ્યુઅલ્સ, આરોપી અને ગામના દૃશ્યો તથા ડીવાયએસપીની બાઈટ સાથે ક્રાઇમ સ્ટોરી તૈયાર કરાશે.

અમરેલી

અમરેલીના ચકચારી નકલી લેટર કાંડ અને પાયલ ગોટી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. 28 ડિસેમ્બરની આ ઘટનામાં આરોપી બનેલી પીડિતા પાયલ ગોટીને સાયબર સેલ પોલીસે 17 મેના રોજ બપોરે 12 વાગ્યે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. આ કેસમાં નવા ખુલાસાઓની સંભાવના વચ્ચે પાયલ ગોટી પોલીસ સમક્ષ હાજર થશે. આ અંગે વિગતવાર સ્ટોરી તૈયાર કરાશે.

આ પણ વાંચો  :  Gujarati Top News : આજે 15 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat todayGujarati NewsGujarati Top News
Next Article