Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે આજીવન કોઈ ચૂંટણી નહીં લડું : Congress Leader Jagdish Thakor

Jagdish Thakor : ઉત્તર ગુજરાતના રાજકારણમાં એક મોટો સંકેત મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેર કર્યું છે કે તેઓ હવે કોઈપણ ચૂંટણી નહીં લડે અને સક્રિય ચૂંટણી રાજનીતિથી અંતિમ રીતે દૂર રહેવાના છે.
હવે આજીવન કોઈ ચૂંટણી નહીં લડું   congress leader jagdish thakor
Advertisement
  • હવે ચૂંટણી નહીં લડે કોંગ્રેસ નેતા Jagdish Thakor
  • ઉત્તર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
  • CWCનો હોદ્દો પણ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી
  • હવે આજીવન કોઈ ચૂંટણી નહીં લડુંઃ જગદીશ ઠાકોર
  • મારા સમાજની એકતા તૂટતી દેખાયુંઃ જગદીશ ઠાકોર
  • સમાજની એકતા તૂટતી હોવાનું આપ્યું મોટું કારણ
  • સારા વ્યક્તિ મળે તો CWCમાં રાખોઃ જગદીશ ઠાકોર
  • 'કોંગ્રેસ માટે મજૂરી કરવામાં પાછી પાની નહીં કરૂં

Jagdish Thakor : ઉત્તર ગુજરાતના રાજકારણમાં એક મોટો સંકેત મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેર કર્યું છે કે તેઓ હવે કોઈપણ ચૂંટણી નહીં લડે અને સક્રિય ચૂંટણી રાજનીતિથી અંતિમ રીતે દૂર રહેવાના છે. તેમની આ જાહેરાત માત્ર તેમના પોતાના ભવિષ્ય માટે નહીં, પરંતુ ગુજરાત કોંગ્રેસની આગામી રણનીતિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

જગદીશ ઠાકોરનું નિવેદન

જગદીશ ઠાકોરે જણાવ્યું કે, “હું હવે આજીવન કોઈ ચૂંટણી નહીં લડું. મારી જગ્યાએ નવા અને સારા નેતાઓને આગળ આવવાની તક આપવી જોઈએ.” તેમણે પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની ભૂમિકા પણ સમાવિષ્ટ છે. તેમનું માનવું છે કે નવી પેઢી અને યુવાનોને રાજનીતિમાં વધુ સક્રિય કરવા માટે આ જરૂરી છે. તેઓએ જણાવ્યું, “મારા પિતાને ક્યારેય કલ્પના નહોતી કે હું પંચાયતનો સભ્ય બનીશ, પરંતુ જનતા અને રાહુલ ગાંધીના પરિવાર દ્વારા મને ધારાસભ્ય, સાંસદ અને CWCના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યો. હવે હું જીવું ત્યાં સુધી પોતાની પ્રતિબદ્ધિઓને નિભાવીશ, અને તેમા ક્યારેય પણ પાછી પાની નહીં કરું.”

Advertisement

Advertisement

ચૂંટણીમાં વિજય અને નમ્રતા

જગદીશ ઠાકોરે પોતાના જીવનના ચૂંટણી અનુભવો પણ શેર કર્યા. તેઓ 3 વખત લોકસભા માટે લડ્યા અને 2 વખત ધારાસભા માટે. તેમ છતાં, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ફક્ત જીતાડવા જ નહીં, પરંતુ તેવો દાખલો પણ સ્થાપિત કરવા માંગે છે કે તેઓ બીજાને જીતાડી શકાય. આથી, તેઓ પોતાને માત્ર સફળ નેતા નહીં, પણ સમર્પિત માર્ગદર્શક તરીકે પણ જોવાનું ઇચ્છે છે.

હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠક

જગદીશ ઠાકોરનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ગુજરાત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં પાર્ટીના હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠક માટે પહોંચ્યા છે. આ બેઠકમાં રાજનીતિની આગામી યોજનાઓ, આંતરિક ફરિયાદો અને સંઘઠન સુધારાની ચર્ચા કરવાની શક્યતા છે. કેટલીક વિધિવત માહિતી અનુસાર, ઠાકોરના નિવેદનથી હવે પાર્ટીમાં મોટા ફેરફારો અને નવા નેતૃત્વની શક્યતા વધે છે.

આ પણ વાંચો :   ચાર દેશોના પ્રવાસે Rahul Gandhi એ એવું શું કહ્યું કે ભાજપે તેને ગણાવ્યું 'અદ્ભુત એન્જિનિયરિંગ જ્ઞાન'

Tags :
Advertisement

.

×