Idar: ભારત સરકાર તરફથી લેખિકા શ્વેતા પટેલને સ્વાતંત્રપર્વમાં ઉપસ્થિત રહેવા મળ્યું આમંત્રણ
Idar: સાબરકાંઠાના ઇડર તાલુકાના કમાલપુરની યુવા લેખક શ્વેતા પટેલને દિલ્હીમાં સ્વાતંત્રપર્વમાં ઉપસ્થિત રહેવા ભારત સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યો છે. આ શ્વેતા પટેલની સ્વાતંત્રપર્વમાં આંમત્રણ સમગ્ર જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. આ યુવા લેખિતા શ્વેતા પટેલને પીઓમો તરફથી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર પર્વ પર ઉજવણી સમયે અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો આમંત્રણ મળ્યું છે.
Idar: નોંધનીય છે કે કે દર વર્ષે દિલ્લીના લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય પર્વમાં દેશમાંથી પંસદ કરાયેલી પ્રતિભાઓને ભારત સરકાર વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કરે છે. આ વર્ષે શિક્ષણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત આયોજનમાં દેશના પ્રતિભાશાળી યુવા લેખકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ઈડર તાલુકાના કમાલપુર ગામના પીએમ યુવા લેખિકા શ્વેતા પટેલને આમંત્રિત કર્યા છે. શ્વેતા પટેલ પ્રધાનમંત્રી યુવા લેખક મેન્ટરશિપ યોજના-૧ના વિજેતા છે. તેઓએ રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ અગાઉ તેમણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કલા-સાહિત્ય શિબિરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સાહિત્ય સંવાદમાં સહભાગિતા નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩માં તેમની રચના ગોઝારો ઢેખાળીયો કૂવો - દઢવાવ પુસ્તકનું વિમોચન દિલ્હીમાં ફ્રાંસ દેશના યજમાનપદે કરવામાં આવ્યું હતું. શ્વેતા પટેલના દિલ્હી ખાતેની ઉપસ્થિતિના સમાચાર સાથે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી છે. નાની ઉંમરે સાહિત્ય જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી, તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ક્ષમતા અને પ્રતિભા સાબિત કરી છે.
અહેવાલ: યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા
આ પણ વાંચો: Gujarat ATS : મોટો ખુલાસો! મહિલા આતંકી શમા પરવીને પાક. આર્મી ચીફ મુનીરને સંબોધી કરી હતી પોસ્ટ!


