Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈડરના શ્રીનગર વિસ્તારમાં બે માસથી ખોદકામ કરાયેલા ખાડા પુરવામાં તંત્રની ઉદાસીનતા

ઈડર નગરપાલિકા (Idar Municipality) દ્વારા બે માસ અગાઉ શ્રીનગર વિસ્તારમાં પાણીનો લીકેજ વાલ્વ (water leakage valve) રીપેર કરવા માટે ખોદકામ કરવામાં આવેલ ખાડો પૂરવામાં દાખવવામાં આવેલી બેદરકારી બદલ કર્મચારીને નોટીસ (Notice) ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે. ઈડર...
ઈડરના શ્રીનગર વિસ્તારમાં બે માસથી ખોદકામ કરાયેલા ખાડા પુરવામાં તંત્રની ઉદાસીનતા
Advertisement

ઈડર નગરપાલિકા (Idar Municipality) દ્વારા બે માસ અગાઉ શ્રીનગર વિસ્તારમાં પાણીનો લીકેજ વાલ્વ (water leakage valve) રીપેર કરવા માટે ખોદકામ કરવામાં આવેલ ખાડો પૂરવામાં દાખવવામાં આવેલી બેદરકારી બદલ કર્મચારીને નોટીસ (Notice) ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે.

ઈડર (Idar) ના સત્યમ ચાર રસ્તાથી શ્રીનગર તરફ જવાના રસ્તા પર રહેણાંક વિસ્તાર તેમજ દવાખાના અને બજાર આવેલા છે. જેને લઈ લોકોની અવર-જવર વધુ રહે છે. દરમિયાન બે મહિના અગાઉ શ્રીનગર વિસ્તારમાં આવેલી પાણીની પાઈપલાઈનનો વાલ્વ લીકેજ હોવાના કારણે તેનું રીપેરીંગ કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ગમે તે કારણસર આ ખાડો પુરવા માટે નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી ન હતી. જેને લઈને અહીંથી રોજબરોજ થતાં વાહનચાલકો, સીનીયર સીટીઝન અને નાના બાળકો માટે આ ખાડો જોખમી બન્યો છે. રાત્રિના સમયે ખાડો દેખાતો ન હોવાને કારણે ક્યારેક અકસ્માત થવાનો ભય પણ રહીશો સેવી રહ્યા છે. રોડ નીચેથી પસાર થઈ રહેલા પાણીની લાઈનનો વાલ્વ લિકેજ થતા મોટા પ્રમાણમાં છેલ્લા ગણા સમયથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો.

Advertisement

છતાં પાલિકા પાણી પુરવઠા વિભાગ દ્વારા રોડ પર લાઈનનું ખોદકામ કર્યા બાદ ખાડો પુરવામાં આવી રહ્યો નથી. જેથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા પાણી પુરવઠા વિભાગને તાકીદે સૂચના આપી હતી. પરંતુ ચાર દિવસ સુધી સમારકામ ન થતાં ગટરના કામ અંગે નગરપાલિકાના કર્મચારી રવિ ત્રિવેદીને બેદરકારી બદલ નોટીસ આપીને ત્રણ દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરાઈ છે.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - હિંમતનગરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી નોનવેજની હાટડીઓ બંધ કરાવવા માંગ

આ પણ વાંચો - SABARKANTHA : આનંદપુરા વસાહતથી ભૂવેલને જોડતા રોડ માટે ગ્રામજનો ૩પ વર્ષથી જોઈ રહ્યા છે રાહ

Tags :
Advertisement

.

×