Keshod Airport : કેશોદ એરપોર્ટ જાન્યુઆરી-2027 સુધીમાં મોટા AB-320 ટાઇપના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે
- AAI એ કેશોદ એરપોર્ટનાં રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું
- મોટા AB-320 પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા કામગીરી
- રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.190.56 કરોડ, સમયમર્યાદા 18 મહિના
- જાન્યુઆરી-2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની સંભાવના
Keshod Airport : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ મોટા AB-320 પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતનાં કેશોદ એરપોર્ટનાં રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. AAI એ અંદાજિત રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટનાં વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે (Murlidhar Mohol) 5 ઓગસ્ટ, 2025 ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી (MP Parimal Nathwani) દ્વારા કેશોદ એરપોર્ટનાં વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોનાં જવાબમાં આપી હતી.
રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.190.56 કરોડ
મંત્રીનાં નિવેદન મુજબ, રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો (Runway Expansion Project) અંદાજિત ખર્ચ રૂ.190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી-2027 છે. AAI એ અંદાજિત કુલ રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ પણ હાથ ધર્યું છે, જેમાં રૂ. 142.17 કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ શામેલ છે. 6,500 ચોરસ મીટરનું નવું ટર્મિનલ બિલ્ડિંગ એક સાથે 400 આગમન અને પ્રસ્થાન કરતા મુસાફરોની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો - Rajkot : ભેળસેળયુક્ત ખોરાકની ટેસ્ટિંગ માટેનાં મોંઘાદાટ મશીનો જ ધૂળ ખાતા થયા!
પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વર્ક ઓર્ડર આપવાની તારીખથી 15 મહિનાની
નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વર્ક ઓર્ડર આપવાની તારીખથી 15 મહિનાની છે. બંને પ્રોજેક્ટ માટે પૂર્ણ થવાની સમયમર્યાદા જમીન સંપાદન, ફરજિયાત મંજૂરીઓની ઉપલબ્ધતા, ફાઇનાન્સિઅલ ક્લોઝર વગેરે જેવા ઘણાં પરિબળો પર આધાર રાખે છે.
આ પણ વાંચો - Ram Mokariya : રાજકોટ BJP માં મોટું આંતરિક ઘમાસાણ! રામ મોકરિયાને હવે 'No Entry'!
ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિરની મુલાકાત સરળ બનશે
કેશોદ એરપોર્ટ (Keshod Airport) પર ચાલી રહેલા વિસ્તરણના મહત્ત્વ પર પ્રકાશ પાડતા, પરિમલ નથવાણીએ (MP Parimal Nathwani) જણાવ્યું હતું કે, "કેશોદ એરપોર્ટને મોટા બોડીવાળા વિમાનોનાં સંચાલન માટે અપગ્રેડ કરવાથી, વિશ્વભરનાં વન્યજીવ ઉત્સાહીઓ માટે વિશ્વમાં એકમાત્ર જગ્યાએ વસવાટ કરતા એશિયાટિક સિંહોને જોવા માટે ગીર નેશનલ પાર્કની (Gir National Park) મુસાફરી કરવી સરળ બનશે. આ ઉપરાંત, સોમનાથ મંદિર (Somnath Temple) બાર જ્યોતિર્લિંગોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને કેશોદ એરપોર્ટ ભારત તેમ જ વિદેશથી આવતા ભગવાન શિવના ભક્તોને આ પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવામાં ઘણી સરળતા કરી આપશે."
આ પણ વાંચો - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર એકવાર ફરી શારીરિક શોષણનો આરોપ, વિદ્યાર્થીનીએ જાહેરમાં આવીને કહ્યું...