Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમરેલીના ખાંભામાં દીપડાની દહેશત યથાવત, ખેડૂત પર કર્યો હુમલો

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે. અહીં અવાર નવાર વન્ય પ્રાણીઓના હુમલાના સમાચાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આજે વધુ એક હુમલાના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના ખાંભામાં દીપડાએ એક ખેડૂત પર હુમલો કર્યો છે. મળતી જાણકારી અનુસાર,...
અમરેલીના ખાંભામાં દીપડાની દહેશત યથાવત  ખેડૂત પર કર્યો હુમલો
Advertisement

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે. અહીં અવાર નવાર વન્ય પ્રાણીઓના હુમલાના સમાચાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આજે વધુ એક હુમલાના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના ખાંભામાં દીપડાએ એક ખેડૂત પર હુમલો કર્યો છે.

મળતી જાણકારી અનુસાર, છેલ્લા પાંચ દિવસથી ખાંભાના ગામોમાં દીપડાની આંતક જોવા મળ્યો છે. ભાણીયા ગામમાં રહેતા ધીરુભાઈ ટપુભાઈ વાળા (ઉ.વ. 37) નામના ખેડૂત પર દીપડાએ કર્યો હતો હુમલો. આ પાંચ દિવસમાં બીજી ઘટના છે. ત્યારે દીપડાને પાંજરે પુરવા ગામલોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ અમરેલીના કાતર ગામમાં મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં દીપડાએ અચાનક બાળક પર હુમલો કરી દીધો છે. અહીં માલધારી પરિવારના 2 વર્ષના બાળકને દીપડો હુમલા કર્યો હતો જેમાં બાળકનું મોત થયું હતું.

Advertisement

આ પણ વાંચો : ગૃહિણીઓ માટે સારા સમાચાર, ઉનાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો

Tags :
Advertisement

.

×