Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહીસાગર : ભૂલ તંત્રની ભોગવ્યું ઉમેદવારોએ!, બે વિદ્યાર્થી તલાટીની પરીક્ષા ન આપી શક્યા

રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ઉમેદવારોને પેપર લાંબુ લાગ્યું હતું અને તેમાં સમય ઘટ્યો હોવાનું જણાયુ હતું. મહીસાગરથી પેપરમાં છબરડો થયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, મહિસાગર જિલ્લાની મુનપુર આર્ટ્સ...
મહીસાગર   ભૂલ તંત્રની ભોગવ્યું ઉમેદવારોએ   બે વિદ્યાર્થી તલાટીની પરીક્ષા ન આપી શક્યા
Advertisement

રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ઉમેદવારોને પેપર લાંબુ લાગ્યું હતું અને તેમાં સમય ઘટ્યો હોવાનું જણાયુ હતું. મહીસાગરથી પેપરમાં છબરડો થયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે.

Advertisement

મહત્વનું છે કે, મહિસાગર જિલ્લાની મુનપુર આર્ટ્સ કોલેજમાં તલાટીના પેપરમાં છબરડા થયો હોવાનું જાણવા મળ્યું છે. તલાટીના પેપરમાં OMR સીટના નંબરમાં છબરડો થયો છે. તલાટીના પેપરમાં OMR સીટનો નંબર અને ઉમેદવારનો બેઠક નંબર અલગ અલગ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ત્યારે તંત્રની ગંભીર બેદરકારીભરી ભૂલને કારણે 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. નંબરમાં ભૂલ હોવાને કારણે બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, 4 કલાકની કાર્યવાહી બાદ બંને વિદ્યાર્થીને જવા દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સુરતમાં ગુનાખોરીના ગ્રાફને અંકુશમાં લાવવા વીંઝાયો પાસાનો કોરડો

Tags :
Advertisement

.

×