Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઝાંઝમેરમાં 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ, આઘાતમાં દાદી અને પિતાએ ઝેર પીધુ , દાદીનું મોત, પિતા ગંભીર

ધોરાજી ઝાંઝમેર ગામના 4 યુવકોએ ખેડૂત પરિવારની 14 વર્ષની કિશોરીનું અપહરણ કર્યું હતું. કિશોરીને ગામની શાળામાંથી ઉઠાવી યુવકો ફરાર થયા હતા. કિશોરી સાંજે પરત ફરતા તેણે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું કહ્યું હતું . દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા કિશોરીના દાદી અને પિતાએ ઝેરી દવા પી લીધી હતી.  જેમાં કિશોરીના દાદીનું મોત નિપજ્યું તો કિશોરીના પિતાની હાલત ગંભીર છે.પરિવારજનો દ્
ઝાંઝમેરમાં 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ  આઘાતમાં દાદી અને પિતાએ ઝેર પીધુ   દાદીનું મોત  પિતા ગંભીર
Advertisement
ધોરાજી ઝાંઝમેર ગામના 4 યુવકોએ ખેડૂત પરિવારની 14 વર્ષની કિશોરીનું અપહરણ કર્યું હતું. કિશોરીને ગામની શાળામાંથી ઉઠાવી યુવકો ફરાર થયા હતા. કિશોરી સાંજે પરત ફરતા તેણે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું કહ્યું હતું . દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા કિશોરીના દાદી અને પિતાએ ઝેરી દવા પી લીધી હતી.  જેમાં કિશોરીના દાદીનું મોત નિપજ્યું તો કિશોરીના પિતાની હાલત ગંભીર છે.પરિવારજનો દ્વારા લાશ સ્વીકારનો ઇન્કાર કરતા પોલીસ દોડતી થઈ હતી ઘટના સ્થળે ધોરાજી ધારાસભ્ય અને પોલીસ દ્વારા સાંત્વના પાઠવતા અંતે ગુનો નોંધાયા બાદ લાશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો .આ મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. 

4 યુવકો કિશોરીને ગામની શાળામાંથી અપહરણ કરી ઉઠાવી ગયા 
બનાવની વિગત મુજબ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં કિશોરીનું અપહરણ કરી 14 વર્ષની દીકરીને ગામના 4 જેટલા યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાની ધટના સામે આવી હતી. કિશોરીને ગામની શાળામાંથી અપહરણ કરી ઉઠાવી ગયા હતા. દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારએ આક્ષેપ કર્યો હતો, કિશોરી સાંજે ઘરે પહોંચતા  સમગ્ર ઘટના જાણવતા કિશોરીના દાદી તેમના ઘરે તેમજ પિતાએ વાડીએ ઝેરી દવા પીધી હતી. આ ઘટનામાં કિશોરીના દાદીનું મોત નીપજ્યું છે, તેમજ પિતાને સારવાર હેઠળ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારે કર્યો ઇન્કાર 
ઝેરી દવાનાં કારણે બાળકીની દાદીનું મૃત્યુ થયું હતું અને બાળકીના પિતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ મૃતદેહને રોડ ઉપર રાખી ન્યાયની માંગણી કરી. પરિવારજનોનો આક્ષેપ જ્યાં સુધી આરોપીને પકડી કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે.મળતી માહિતી મુજબ સગીરા સ્કૂલે ગઈ હતી. જ્યાં તે સમયસર ઘરે આવી ન હતી. ત્યાર બાદ પરિવારજનો તેને શોધવા વાડીએ ગયા હતા. આ બાબતની જાણ થતાં  કિશોરીના દાદીએ આઘાતમાં ઝેર ગટગટાવી દીધું છે. પરિવારે માંગ કરી છે કે આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવે. પરિવારે વિરોધમાં મૃતદેહ રોડ પર મૂકી દીધો હતો.
ઝાંઝમેર ગામ સંપૂર્ણપણે બંધ રહ્યું
ઝાંઝમેર ગામમાં આ બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો હતો જેથી ગ્રામજનો સહિત લોકોમાં રોષ ફેલાયો હતો અને સમગ્ર ગ્રામ રોષ વ્યક્ત કરતા બંધ રાખવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ઝેરી દવા પી આપઘાત કરનાર વૃધ્ધાની લાશ સ્વીકારવાનો તેના પરિવારજનોએ ઈનકાર કરી દેતાં ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા છે અને આ ઘટનાને પગલે ઝાંઝમેર ગામમાં વાતાવરણ તંગ બન્ને એ પહેલાં પરિવારજનોએ મનાવવાના પ્રયાસો કર્યા હતા પોલીસે પણ આ ઘટના અંગે જવાબદાર આરોપીઓ સામે તાબડતોબ ગુનો નોંધી તપાસ હાથ ધરી  આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી આ અંગે ધોરાજી પોલીસ મથકે પોક્સો સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં એક શખ્સની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×