- મોરબી ટંકારા શહેરમાં પ્રવેશદ્વાર અચાનક ધરાશયી
- ટંકારામાં ઉગમણા નાકે પ્રવેશદ્વાર ધરાશયી થયો
- આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી
- પ્રવેશદ્વાર તૂટ્યો ત્યારે કોઈ અવર જવર ન હોવાથી મોટી જાનહાની ટળી
ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા
થોડા દિવસો અગાઉ ગાંધીનગરમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. ગાંધીનગર ચ-6 સર્કલ પાસે એક સ્કૂલવાન બાળકોને લઈને પસાર થઈ રહી હતી. એ સમયે પૂરપાટ ઝડપે જઈ રહેલી ખાનગી બસના ચાલકે આ સ્કૂલવાનને ભયંકર ટક્કર મારી હતી. જે બાદ સ્કૂલવાન દૂર સુધી ફેંકાઈ હતી.
10 જેટલા બાળકોને ઈજા પહોંચી હતી
આ ટક્કર એટલી ભયંકર હતી કે આખી સ્કૂલવાન પલટી ખાઈ ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં સ્કૂલવાનમાં બેસેલા 10 જેટલા બાળકોને ઈજા પહોંચી હતી. એ તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો- સુરત પોલીસની સરાહનીય કામગીરી, અપહરણ કરાયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવ્યું