Home » પુનમના પાવન દિવસને લઇને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, ગુજરાતી સિંગર જયકર ભોજકે ગાયુ માનું ભજન
પુનમના પાવન દિવસને લઇને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, ગુજરાતી સિંગર જયકર ભોજકે ગાયુ માનું ભજન
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
124
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગતજનની જગદંબા માં અંબાનું પ્રાચીન શક્તિપીઠ છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે આજે મહા સુદ પૂનમના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
અંબાજી મંદિર ખાતે આજે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે ગુજરાતના જાણીતા સિંગર જયકર ભોજક માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ખાતે દેશભરમાંથી ભક્તો ધજા લઈને દર્શન કરવા આવ્યા હતા અને ઘણા ભક્તો માતાજીના ચાચર ચોકમાં ગરબા પણ રમ્યા હતા. અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર ખાતે પૂનમ ભરવા આવતા ભક્તો વહેલી સવારથી જ આવી જતા હોય છે અને માતાજીના દર્શન કરતા હોય છે.અંબાજી મંદિર ખાતે ભક્તો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહીને જય જય અંબે નો નાદ કરતા જોવા મળ્યા હતા.
જયકર ભોજક, સિંગર જેવો દર મહિનાની પૂનમે વહેલી સવારે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા આવે છે અને માતાજીની આરાધના કરે છે તેમને પણ સરસ મજાનું ભજન માતાજી માટે મંદિરમાં ગાયુ હતું.ડોક્ટર ઈશ્વર પટેલ, ભક્ત જેવો સુરતના મોટા વરાછા ખાતે રહે છે, અને છેલ્લા 22 વર્ષથી દર મહિનાની પૂનમે અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે હું ગમે ત્યાં હોઉ પણ પુનમ ના દીવસે અંબાજી ખાતે દર્શન કરવા અચુક આવુ છું. તેમણે જણાવ્યું હતું કે આજે મહા સુદ પૂનમ હોઈ વહેલી સવારે છ વાગે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા બપોરે 12:00 વાગે અંબાજી મંદિરમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે અને સાંજે 6:30 વાગે મંગળા આરતી કરવામાં આવશે. આગામી 12 થી 16 ફેબ્રુઆરીના રોજ ગબ્બર ખાતે ગબ્બર પરિક્રમા યોજાવવા જઈ રહી છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject