Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ATSએ કરી તિસ્તા સેતલવાડની ધરપકડ, NGOના કેસમાં કાર્યવાહીની સંભાવના

2002ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના બીજા જ દિવસે ગુજરાત ATSની બે ટીમો મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી છે. ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની તપાસ કરવા ATSની ટીમ પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જશે. માહિતી સામે આવી રહી છે કે તેને પહેલા મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની ભૂમિકા અંગે પણ સુપ્રીમ કોર્ટે વધુ તપાસ à
ગુજરાત atsએ કરી તિસ્તા સેતલવાડની ધરપકડ  ngoના કેસમાં કાર્યવાહીની સંભાવના
Advertisement
2002ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના બીજા જ દિવસે ગુજરાત ATSની બે ટીમો મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી છે. ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની તપાસ કરવા ATSની ટીમ પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જશે. માહિતી સામે આવી રહી છે કે તેને પહેલા મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની ભૂમિકા અંગે પણ સુપ્રીમ કોર્ટે વધુ તપાસ માટે કહ્યું હતું.


2002ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના બીજા જ દિવસે ગુજરાત ATSની બે ટીમો મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી છે. ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની તપાસ કરવા ATSની ટીમ પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જશે. માહિતી સામે આવી રહી છે કે તેને પહેલા મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની ભૂમિકા અંગે પણ સુપ્રીમ કોર્ટે વધુ તપાસ માટે કહ્યું હતું.
કોણ છે તિસ્તા સેતલવાડ
તિસ્તા સેતલવાડ એક સામાજિક કાર્યકર અને પત્રકાર છે. તે સીટીઝન્સ ફોર જસ્ટીસ એન્ડ પીસ અથવા સીજેપી નામની સંસ્થાની સેક્રેટરી પણ છે. આ સંગઠનની સ્થાપના 2002 માં ગુજરાતમાં કોમી રમખાણોના પીડિતો માટે ન્યાય માટે લડવા માટે કરવામાં આવી હતી. CJP એક સહ-અરજીકર્તા છે જેણે 2002ના ગુજરાત રમખાણોમાં તેમની સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય 62 સરકારી અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ ભાજપની નજરમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ દ્વારા તિસ્તા સેતલવાડનું સંગઠન સ્થાપવામાં આવી રહ્યું છે અથવા ચલાવાઈ રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×