દાંડી યાત્રાને મીઠાનો સત્યાગ્રહ કે દાંડી સત્યાગ્રહના રૂપમાં પણ ઇતિહાસમાં સ્થાન મળ્યુ છે. વર્ષ 1930માં અંગ્રેજ સરકારે જયારે મીઠા પર વેરો લગાવી દીધો તો મહાત્મા ગાંધીએ આ કાયદાના વિરૂદ્ધમાં આંદોલન છેડ્યું. આ ઐતહાસિક સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી સહિત 78 લોકો દ્વારા અમદાવાદ સાબરમતી આશ્રમથી દરિયા કિનારે આવેલા દાંડી સુધી 390 કિલોમીટરની પદયાત્રા કરવામાં આવી.12 માર્ચે શરૂ થયેલી આ યાત્રા 6 એપ્રિલ 1930ના દિવસે હાથમાં મીઠું લઇને મીઠાનો કાયદો ભંગ કરવાનું આહ્વાન કરાયુ હતું.
મહાત્મા ગાંધીએ અંગ્રેજોના બનાવેલા અન્યાયપૂર્ણ મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો. આ યાત્રાની એક સુનિયોજિત યોજના બનાવવામાં આવી હતી. તેમાં કૉંગ્રેસે તમામ નેતાઓની ભૂમિકા નક્કી કરી હતી. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજોએ ધરપકડ કરી તો કયા કયા નેતા યાત્રાને સંભાળશે. આ યાત્રાને મોટાપાયે જન સમર્થન મળ્યું અને જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ, અસંખ્ય લોકો તેની સાથે જોડાતા ગયા.