SWAGAT :આગામી સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ
- SWAGAT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ૨૯ ઓગસ્ટ શુક્રવારે યોજાશે
SWAGAT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત શુક્રવાર તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓગસ્ટ ૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૯ ઓગસ્ટ ને શુક્રવારે યોજાવાનો છે.
નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો શુક્રવાર , તા. ૨૯ ઓગસ્ટ ના રોજ સવારે ૮-૦૦ થી ૧૧-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
આ પણ વાંચો : Green Energy : VGRC કરશે સ્વચ્છ ઊર્જાના નેતૃત્વનું પ્રદર્શન


