Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'મારા ભાઇને ગોળીઓ મારી હતી, તે પાછો લાવી આપો, પછી મેચ રમજો', પરિવારનો આક્રંદ

India-Pakistan Match Oppose : આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન રમી રહ્યા હોવાથી પહેલગામ હુમલાના પીડિતોના પરિવારો ખુશ નથી
 મારા ભાઇને ગોળીઓ મારી હતી  તે પાછો લાવી આપો  પછી મેચ રમજો   પરિવારનો આક્રંદ
Advertisement
  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે
  • આ મેચથી પહલગામ આતંકી હુમલામાં પીડિત પરિવારો ખુશ નથી
  • દેશભરમાં આ મેચનો વિરોધ થઇ રહ્યો છે, આ મેચ ના રમાવવી જોઇએ તેવું લોકોનું માનવું છે

India- Pakistan Match Oppose : 'મારા ભાઈને ગોળી લાગી, મને તે પાછો લાવી આપો, પછી પાકિસ્તાન સાથે મેચ રમજો...', પહેલગામ આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) પિતા અને ભાઈ ગુમાવનારા સાવન પરમારે આ વાત મીડિયા સમક્ષ કહી છે. ગુજરાતના ભાવનગરમાં રહેતા સાવન પરમાર એશિયા કપમાં (Asia Cup - 2025) ભારત-પાકિસ્તાન (India-Pakistan Match Oppose) મેચથી ખૂબ જ દુઃખી દેખાતા હતા. તેમણે સરકારના પગલા પર સવાલ ઉઠાવ્યા હતા.

પહેલગામ હુમલાના પીડિતોના પરિવારો ખુશ નથી

આતંકવાદી હુમલો 22 એપ્રિલ 2025 ના રોજ થયો હતો. પાકિસ્તાન સમર્થિત હુમલાખોરો પહેલગામમાં ઘૂસી ગયા હતા, લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું હતું અને તેમને બાદમાં તેમને મારી નાખ્યા હતા. આ પછી, ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન સામસામે રમી રહ્યા (India-Pakistan Match Oppose) હોવાથી પહેલગામ હુમલાના પીડિતોના પરિવારો ખુશ નથી. પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં ગુજરાતના ભાવનગરના સુમિત પરમાર અને તેના પિતા યતેશ પરમારનો સમાવેશ થાય છે.

Advertisement

જો મેચ થાય છે, તો તે એક રીતે નિરર્થક છે

યતીશના પુત્ર સાવન પરમારે પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું - પાકિસ્તાન સાથે કોઈપણ રીતે વ્યવહાર ના કરવો જોઈએ. કારણ કે, તે એક આતંકવાદી દેશ છે. જો તમે પાકિસ્તાન સાથે મેચ રમવા (India-Pakistan Match Oppose) માંગતા હો, તો તે મારા 16 વર્ષના ભાઈને આપો જે પહેલગામમાં માર્યો ગયો હતો. સાવને ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂર ભારત સરકારે કર્યું હતું, જો મેચ થાય છે, તો તે એક રીતે નિરર્થક છે. એકંદરે, પાકિસ્તાન સાથે કોઈ પણ રીતે વર્તવું જોઈએ નહીં.

Advertisement

ભારત-પાકિસ્તાન મેચ કેમ થઈ રહી છે ?

કિરણ યતીશ પરમારે, જેમણે પોતાના પતિ અને પુત્રને ગુમાવ્યા હતા, તેમણે કહ્યું... આ મેચ ના થવી જોઈએ. હું વડા પ્રધાન મોદીને પૂછવા માંગુ છું કે, જો ઓપરેશન સિંદૂર હજુ પૂરૂ થયું નથી, તો પછી આ ભારત-પાકિસ્તાન મેચ (India-Pakistan Match Oppose) કેમ થઈ રહી છે ?... હું આખા દેશને કહેવા માંગુ છું કે, પહેલગામ આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને મળવા જાઓ, અને જુઓ કે તેઓ કેટલા દુઃખી છે. અમારા ઘા હજુ રૂઝાયા નથી...

એક પણ મેચ ના થવી જોઈએ

એકંદરે, ઘણા લોકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો વિરોધ (India-Pakistan Match Oppose) કર્યો છે, શનિવારે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. દેશના એક વર્ગનું માનવું છે કે, બંને દેશોએ આ મેચ ના રમાવવી જોઈએ. દેશના એક વર્ગનું માનવું છે કે, આતંકવાદીઓને ટેકો આપતા પાકિસ્તાન સાથે એક પણ મેચ ના થવી જોઈએ.

આ પણ વાંચો -----  LIVE: એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, ઇન્ડિયા પાક.ને હરાવવા તૈયાર!

Tags :
Advertisement

.

×