PANCHMAHAL : ખોડલધામના ચેરમેન NARESH PATEL નું ગોધરામાં સ્વાગત કરાયું
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ - RAJKOT નાં અમરેલી ખાતે નિર્માણ પામનાર ખોડલ ધામ CANCER HOSPITAL ના ભૂમિ પૂજન સમારોહ કાર્યક્રમ ને લઈ આમંત્રણ આપવા માટે આવેલ ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન NARESH PATEL નું ગોધરાના BAPS સ્વામિ નારાયણ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

NARESH PATEL
21જાન્યુઆરી 2024 નાં રોજ રાજકોટ નજીક અમરેલી ખાતે નિર્માણ પામનાર સર્વ સમાજના લાભાર્થે શ્રી ખોડલધામ CANCER HOSPITAL ના ભૂમિપૂજન સમારોહનું આમંત્રણ આપવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન NARESH PATEL ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા. ગોધરાના રામ નગર સ્થિત આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમ માં ખોડધામ ધામ સમિતિ પંચમહાલ દ્વારા ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન NARESH PATEL નું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.
ખોડલધામનાં પ્રકલ્પ શિક્ષણ ,આરોગ્ય, અને કૃષિ શિક્ષણ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં ખોડલ ધામ કામ કરી રહ્યુ છે, પરંતું આરોગ્ય એક પ્રથમ પ્રોજેકટ રોલ મોડલ રાજકોટમાં સ્થાપિત થયાં બાદ આખા ગૂજરાતમાં ફેલાય એવી એક ખોડલ ધામનું નેમ છે, તેવુ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ એ જણાવ્યુ હતું. આ પ્રસંગે પાટીદાર સમાજ ના હોદેદારો અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- Chhota Udepur Station: Kavant માં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું ગૃહ મંત્રી


