Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi @75 : પીએમ મોદીની પંચોતેર વરસે ય યુવાનને શરમાવે એવી ચુસ્તીસ્ફૂર્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફિટનેસનો મંત્ર શું છે?
pm modi  75   પીએમ મોદીની પંચોતેર વરસે ય યુવાનને શરમાવે એવી ચુસ્તીસ્ફૂર્તિ
Advertisement

PM Modi @75 : શું તમે જાણો છો કે પીએમ મોદી આ ઉંમરે પણ યુવાનની જેમ ફિટ કેવી રીતે રહે છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફિટનેસનો મંત્ર શું છે?

પીએમ મોદી ડાયેટ રૂટિન: દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નો 17 સપ્ટેમ્બરે તેમનો 75મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી હંમેશા તેમની ફિટનેસ અને સ્વાસ્થ્ય રૂટિન માટે સમાચારમાં રહે છે, અને 74 વર્ષની ઉંમર વટાવી ગયા પછી પણ તેઓ ફિટ અને સક્રિય છે. શું તમે જાણો છો કે પીએમ મોદી આ ઉંમરે પણ યુવાનની જેમ ફિટ કેવી રીતે રહે છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફિટનેસનો મંત્ર શું છે અને તેઓ યોગની સાથે વર્કઆઉટને કેવી રીતે મહત્વ આપે છે?

Advertisement

PM Modi @75 : પીએમ મોદીની સવારથી રાત સુધીની સ્વસ્થ દિનચર્યા

સવારનો નાસ્તો : પ્રધાનમંત્રી મોદી સવારે 9 વાગ્યા પહેલા નાસ્તો કરે છે. તેઓ નાસ્તામાં શાકભાજી, મોસમી ફળો અને શ્રી અન્ન  ખાય છે. લંચમાં મોરિંગા પરાઠા લે છે

Advertisement

પીએમ મોદી સાદું લંચ લેવાનું પસંદ કરે છે. મોરિંગા અથવા ડ્રમસ્ટિક પરાઠા હંમેશા તેમની ભોજનની થાળીમાં હાજર હોય છે. આ પરાઠામાં વિટામિન સી, પોટેશિયમ, બીટા-કેરોટીન, પ્રોટીનથી ભરપૂર પોષક તત્વો હોય છે. મોરિંગા પરાઠા ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. ઉપરાંત, ગુજરાતી ખીચડી પીએમ મોદીના આહારમાં સામેલ છે. પ્રધાનમંત્રી મોદી રાત્રે સાદો ખોરાક ખાવાનું જ પસંદ કરે છે, તેઓ મસાલા વગરનો ખોરાક ખાય છે.

PM Modi @75 ફિટનેસ માટે યોગ પર ભાર

પ્રધાનમંત્રી પોતાને સ્વસ્થ અને સક્રિય રાખવા માટે યોગના મંત્રનું પાલન કરે છે. એટલે કે, પીએમ મોદી પોતાની સવારની શરૂઆત યોગથી કરે છે. તેઓ દરરોજ 'પંચતત્વ યોગ' કરે છે, જેમાં યોગ નિદ્રા, પ્રાણાયામ, ધ્યાન અને સૂર્ય નમસ્કારનો સમાવેશ થાય છે. પીએમ મોદી માને છે કે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પીએમ મોદીની ઊંઘની દિનચર્યા કેવી છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારથી રાત સુધી સંપૂર્ણ ઉર્જા સાથે કામ કરે છે. તેઓ 18-18 કલાક કામ કરે છે. આના કારણે પીએમ મોદીની ઊંઘની દિનચર્યા થોડી ખલેલ પહોંચે જ. અહીં, અપૂરતી ઊંઘની પૂર્ણ કરવા માટે, પીએમ મોદી યોગ નિદ્રાની પદ્ધતિ અપનાવે છે. આનાથી પીએમ મોદીના શરીરને ઘણો આરામ મળે છે.એક સત્ય કદાચ બહુ ઓછા લોક જાણે છે કે યોગમાં નિંદ્રા બાબતે પાંચ દસ મિનિટની ઝપકી યોગનિંદ્રા ઉપરાંત ‘તુરીય અવસ્થા’ પણ છે.લાંબી સાધના પછી તુરીય અવસ્થા સિધ્ધ થાય છે.તુરીય અવસ્થામાં ‘ઊંઘ’ની જરૂર જ ન પડે. રામાયણમાં લક્ષ્મણજી વનવાસ દરમ્યાન ચૌદ વરસ આંખનું મટકું ય નહોતું માર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના દિનચર્યામાં પ્રકૃતિમાં સમય વિતાવવાનું ગમે છે. તેઓ સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલે છે. આનાથી તેમનો તણાવ ઓછો થાય છે, દુખાવો અને સોજો દૂર થાય છે. હૃદય સંબંધિત રોગો પણ દૂર રહે છે.

પંચોતેર વરસની ઉમરે ય આજે નરેન્દ્ર મોદી ચુસ્ત દુરસ્ત રહે છે એ મોટી સિધ્ધી છે. એની પાછળ એમની યોગ સાધના અને આધ્યાત્મિક સાધના છે એમ કહેવામા અતિશયોક્તિ નથી.

આ પણ વાંચો : PM Modi Bhavnagar Visit: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યોના કરશે લોકાર્પણ, ખાતમુહૂર્ત

Tags :
Advertisement

.

×