Gondal Bhojpara એસટી બસમાંથી SRP જવાનનું અપહરણ કરનારા વૃદ્વ સહિત ચારને પોલીસે ઝડપ્યા,અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવ્યા
- Gondal Bhojpara એસટી બસમાંથી SRP જવાનનું અપહરણ કરનાર ઝડપાયા
- પોલીસે એક વૃદ્વ સહિત ચાલ લોકોને ઝડપી પાડ્યા
- ભાયાવદર નજીક સીમમાંથી પોલીસે એસઆરપી જવાનને છોડાવ્યો
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ગોંડલ થી સાત કી.મી દુર ભોજપરા ગામ નજીક ગુરુવાર ની મોડી રાતે પોરબંદર થી ગાંધીનગર જઈ રહેલી એસ.ટી બસ ને સ્કોર્પીયો બસ આડે નાખી બસ ને રોકી ધોકા સહિત બસ માં ચડેલા શખ્સોએ બસ માં બેઠેલા અમદાવાદ ફરજ બજાવતા એસઆરપી મેન ને માર મારી ઢસડી જઇ અપહરણ કર્યાની ઘટનાને લઇ હરકત માં આવેલી તાલુકા પોલીસે ભાયાવદર નજીક સીમ માં આવેલી વાડીની ઓરડીમાં થી એસઆરપી મેન ને છોડાવી ચાર અપહરણ કર્તાઓ ને ઝડપી લઇ સ્કોર્પીઓ કબ્જે કરી હતી.
Gondal Bhojpara એસટી બસમાંથી SRP જવાનનું કરાયું હતું અપહરણ
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર ગત મોડી રાતે ફિલ્મી સ્ટન્ટ જેવા દ્રશ્યો સર્જાયા હતા.પોરબંદર થી ગાંધીનગર જઈ રહેલી જીજે 18ઝેડ 1850 નંબર ની એસ.ટી બસ રાત્રે એક નાં સુમારે ગોંડલ નજીક ભોજપરા ગામ પાસે પહોચી હતી ત્યારે કાળા કલર ની સ્કોર્પીયો બસ ની ડાબી બાજુથી પુરજડપે ઓવરટેક કરી બસની આડે ઉભી રહીજતા બસ ઉભી રહી હતી.દરમિયાન પોરબંદર એલસીબી ની ઓળખ આપી બસ માં ધોકા લઇ ચડેલા અજાણ્યા શખ્સોએ સંજય ક્યાં છે તેવુ પેસેન્જરો ને પુછવા લાગ્યા હતા.તેવા માં 26 નંબર ની સીટ પર બેઠેલા સંજયભાઈ સામતભાઇ મુછાર ઉ.22 સાથે ખેચાખેચી કરવા લાગ્યા હતા.પરંતુ સંજયભાઈ નીચે નહી ઉતરતા આ શખ્સો માર મારવા લાગ્યા હતા.દરમ્યાન કંડકટર અને કેટલાક પેસેન્જરો એ વીડીયો ઉતારવા પ્રયાસ કરતા આ શખ્સોએ વીડીયો ઉતારવા ની ના કહી ધમકાવતા બસ નાં મુસાફરો ગભરાઇ ગયા હતા.વધુમાં આ શખ્સોએ કોઈ ને ફોન કરતા નહી નહીંતર જીવતા રહેશો નહી તેવી ધમકી આપતા બસ માં ભય નો માહોલ છવાઈ ગયો હતો.કંડકટર સ્કોર્પીઓ ની નંબર પ્લેટ નો ફોટો પાડવા જતા ઉશ્કેરાયેલા એક શખ્સે આડા રહી નંબર પ્લેટ કાઢી લીધી હતી.બાદ માં બસ માંથી સંજયભાઈ ને ઢસડી નીચે લઇ જઇ સ્કોર્પીઓ માં નાંખી આ શખ્સો ગાડીને યુ ટર્ન મારી ગોંડલ તરફ નાશી ગયા હતા.આ અંગે બસ ડ્રાઇવર રાહુલભાઇ પરમારે તુરંત ડેપો મેનેજર ને જાણ કરતા પોલીસ ને જાણ કરાઇ હતી.
Gondal Bhojpara માંથી અપહરણ થનાર જવાનને અપહરણકર્તા પોલીસે છોડાવ્યો
બનાવ અંગે બસ ડ્રાઇવર પોરબંદર સરકારી કર્મચારી સોસાયટી માં રહેતા રાહુલભાઇ પુંજાભ઼ઇ પરમારે ગોંડલ તાલુકા પોલીસ માં ઘટના અંગે ફરિયાદ કરતા પોલીસે અપહરણ, રાયોટ સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઇ એ.ડી.પરમાર અને સ્ટાફે તપાસ નાં ચક્રોગતિમાન કરી અપહરણ કર્તાઓ ને ભાયાવદ નજીક વડુખળ ગામની સીમ માં આવેલી વાડીની ઓરડી માંથી દબોચી લઇ તેની ચુંગાલ માંથી એસઆરપી મેન સંજયભાઈ ને મુક્ત કરાવી પોરબંદર નાં મનીષ અરજણ મોઢવાડિયા ઉ.24, રવિ કિસાભાઇ મુછાર ઉ.24,મુકેશ રામભાઈ ઓડેદરા ઉ.31 અને જામજોધપુર નાં ધોરીયાનેસ રહેતા લાલાભાઇ બધાભાઇ મોરી ઉ.65 ને જડપી લઇ પુછપરછ હાથ ધરી અપહરણ માં સંડોવાયેલ અન્ય ચાર શખ્સોને જડપી લેવા તજવીજ હાથ ધરી હતી.જેનું અપહરણ કરાયુ હતુ તે સંજયભાઈ કુતિયાણા નાં બાવળાવદર નાં રહેવાસી છે.અને જુનાગઢ એસઆરપી કેમ્પ માં ફરજ બજાવે છે.હાલ અમદાવાદ નોકરી હોય કુતિયાણા પોલીસ સ્ટેશને જવાબ લખાવી અમદાવાદ જવા બસ માં બેઠા હતા.
બનાવ અંગે પીઆઇ એ.ડી.પરમારે જણાવ્યુ કે એસઆરપી મેન સંજયભાઈ ની બહેન ની સગાઇ જ્ઞાતિનાં રિવાજ મુજબ નાની વયે થઇ હતી.ચાર મહીના પહેલા તેણી નાં લગ્ન થયા હતા.પરંતુ એક દિવસ સાસરે રહી પોતાના માવતર ચાલી આવી હતી.દરમિયાન કોઈ ને કહ્યા વગર તે ઘરે થી ચાલી ગઈ હોય તેના પરીવારે કુતીયાણા પોલીસ માં ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન અપહરણ કર્તાઓ ને સંજયભાઈ ને તેની બહેન અંગે માહીતી હોવાની શંકાએ તેનું અપહરણ કર્યુ હતુ.અપહરણ કર્તાઓ પૈકી લાલાભાઇ યુવતી નાં સસરા થાય છે.
પોલીસે બનાવ અંગે વિષેશ પુછપરછ હાથ ધરી છે.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો: Navratri 2025 : સુરતમાં ફાયર NOC ની માર્ગદર્શિકા જાહેર, આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન!


