ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સતત બીજા દિવસે બસનો અકસ્માત, મોરબી નજીક ખાનગી બસે પલટી મારી, 9 મુસાફરો ઇજાગ્રસ્ત

Morbi News : રાજ્યમાં બેફામ વસુલાતા ટોલ અને રોડના નામે ખાડા ખડીયાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. મોરબીમાં એક ખાનગી બસ પલટી જતા 9 લોકો ઇજાગ્રસ્ત
08:04 AM Dec 18, 2024 IST | KRUTARTH JOSHI
Morbi News : રાજ્યમાં બેફામ વસુલાતા ટોલ અને રોડના નામે ખાડા ખડીયાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. મોરબીમાં એક ખાનગી બસ પલટી જતા 9 લોકો ઇજાગ્રસ્ત
Bus Accident Near Morbi

Morbi News : રાજ્યમાં બેફામ વસુલાતા ટોલ અને રોડના નામે ખાડા ખડીયાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. ગઇ કાલે જ અમદાવાદના ત્રાજપ નજીક રોડની વચ્ચે ઉભેલા ડંપરમાં એક બસ અઠડાવાને કારણે કૂલ 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં સૌરાષ્ટ્ર ફરી એકવાર બસ અકસ્માતનું સાક્ષી બન્યું છે. મોરબીના હળવદ નજીક વધારે એક બસ હાઇવે પર અકસ્માતનો ભોગ બની હતી.

મોરબી નજીક હળવદ પાસે મધરાતે ખાનગી બસ પલ્ટી

મોરબી નજીક હળવદ પાસે મધરાતે ખાનગી બસ પલ્ટી મારી ગઇ હતી. આ દુર્ઘટનામાં જો કે સદભાગ્યે કોઇનું મોત નિપજ્યું નહોતું. પરંતુ આ દુર્ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પૈકી 1 વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. બસમાં કૂલ 56 લોકો બેઠેલા હતા. ત્યારે હળવદના દેવળીયા પાસે મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : Bharuch : ઝાડેશ્વરનાં નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા દાદા ગુરુજી, કહ્યું - માં નર્મદા નદી કે પાની મેં..!

બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના

બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ સાઇડમાં ઉતરી જઇને પલટી મારી હતી. ગાંધીનગરથી ભુજ જઇ રહેલી આ બસના અકસ્માત અંગેની માહિતી મળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ તંત્રને પણ જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સોનો ખડકલો થઇ ગયો હતો. મોરબી હોસ્પિટલનાં ડોક્ટર્સને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Prithvi Shaw થયો ઈમોશનલ, મુંબઈની ટીમમાંથી બહાર થતાં કહી આ વાત

મોરબી ખસેડાયેલા ઇજાગ્રસ્તો
1. મનજી પ્રતાપભાઇ
2. હુલીબેન
3. મંગુબેન
4. રહિબેન
5. બાબુભાઇ
6. શારદા બહેન
7. બોજાજી સોમાજી
8.રાજેશ પટેલ

ધાર્મિક પ્રવાસે જઇ રહી હતી બસ

અત્રે ઉલ્લેખનીય છે કે, બસ પેસેન્જર બસ નહોતી પરંતુ પ્રવાસમાં ગયેલી બસ હતી. ગાંધીનગરના અડાલજથી કચ્છના કોઇ ધાર્મિક સ્થળે જઇ રહી હતી. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. વધારે વિગતો પોલીસ તપાસમાં સામે આવશે.

આ પણ વાંચો : ICU માંથી જલદી ડિસ્ચાર્જ થશે અડવાણી, હોસ્પિટલે જાહેર કર્યું અપડેટ

Tags :
9 people injuredBus overturns near MorbiGujarat FirstGujarati NewsGujarati Samacharlatest newsMorbi Accident Newsprivate busreligious tripTrending News
Next Article