Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ચોટીલા પાસે ગમખ્વાર અકસ્માત; 4 સગા દેરાણી જેઠાણીના મોત, 18 ઘાયલ

Rajkot: રાજકોટ અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે.
rajkot  ચોટીલા પાસે ગમખ્વાર અકસ્માત   4 સગા દેરાણી જેઠાણીના મોત  18 ઘાયલ
Advertisement
  1. રાજકોટ અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત
  2. ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા 4 ના મોત, 18 લોકો ઘાયલ
  3. કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મોત થયા પરિવાર શોકમય

Rajkot: રાજકોટ અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમામે રાજકોટ અમદાવાદ હાઇવે પર બોલેરો પિકપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. દુઃખની વાત એ છે, આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે તો 18 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે, ઇજાગ્રસ્તનો અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

Advertisement

એક જ પરિવારના ચાર લોકોના મોત

મળતી જાણકારી પ્રમાણે ચોટીલા પાસે આવેલ આપાગીગાના ઓટલા પાસે ગંભીર અકસ્માત સર્જાય છે. આ અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મોત થયા છે. 4 સગા દેરાણી જેઠાણીના મોત થતા પરિવારમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે. જો કે, અકસ્માત શા કારણે સર્જાયો તેની કોઈ વિગતો હજી સામે આવી નથી.

Advertisement

મૃતકોના નામ

  • ગજીબેન રેથરિયા
  • ગલાલબેન રેથરિયા
  • મંજુબેન રેથરિયા
  • ગૌરીબેન રીઠરીયા

આ પણ વાંચો: Rajkot: પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો કરના PI સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ

Tags :
Advertisement

.

×