ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચોટીલામાં કરસનબાપુ ભાદરકાનો Kejriwal પર આકરો પ્રહાર : "આંસુઓનો સોદાગર ખેડૂતોની ઢાલ બનાવે છે"

રસનબાપુએ ઠાલવ્યો Kejriwal પર બળાપો, ગુજરાતમાં રાજકીય સ્વાર્થનો આરોપ
06:32 PM Sep 05, 2025 IST | Mujahid Tunvar
રસનબાપુએ ઠાલવ્યો Kejriwal પર બળાપો, ગુજરાતમાં રાજકીય સ્વાર્થનો આરોપ

ચોટીલા : ગુજરાતના પ્રખ્યાત આધ્યાત્મિક નેતા અને ખેડૂત આગેવાન કરસનબાપુ ભાદરકાએ ચોટીલામાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( Aarvind Kejriwal ) પર આકરા પ્રહારો કર્યા. એક સમયે કેજરીવાલના વખાણ કરનાર કરસનબાપુએ તેમને "આંસુઓનો સોદાગર" ગણાવીને આરોપ લગાવ્યો કે કેજરીવાલ ગુજરાતમાં ખેડૂતોના નામે માત્ર પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા આવે છે. બાપુએ દાવો કર્યો કે કેજરીવાલે "દિલ્હીના દીલને કચડીને" હવે ગુજરાતના ખેડૂતોને રાજકીય ઢાલ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

શું કહ્યું કરસનબાપુએ?

ચોટીલામાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં કરસનબાપુએ આકરા શબ્દોમાં કેજરીવાલની ટીકા કરી છે. તેમણે જણાવ્યું, "અરવિંદ કેજરીવાલ આંસુઓનો સોદાગર છે. તેઓ ખેડૂતોના હિત માટે નહીં, પણ પોતાના સ્વાર્થ માટે ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશથી જ તેઓ અહીં ખેડૂત સંમેલનોમાં આવે છે." બાપુએ વધુમાં કહ્યું, "મને કેજરીવાલને વાસ્તવિક રીતે ઓળખવામાં 4 વર્ષ અને 2 દિવસ લાગ્યા. સમય આવે ત્યારે હું ગુજરાતના યુવાનોના ભલા માટે વધુ ખુલાસા કરીશ."

આ પણ વાંચો- ribada : ક્ષત્રિય સમાજ સંમેલન ; અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે સરકાર પાસે માંગ, પી.ટી.જાડેજા-કરણસિંહ ચાવડા હાજર

કરસનબાપુએ નામ લીધા વિના કેજરીવાલ પર દિલ્હીની જનતાને છેતરવાનો આરોપ પણ લગાવ્યો, એમ કહીને કે "દિલ્હીના દીલને કચડીને હવે તેઓ ગુજરાતના ખેડૂતોને ઢાલ બનાવવા માગે છે." આ નિવેદનથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે AAP ગુજરાતમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે.

કરસનબાપુ અને Kejriwal નો ઈતિહાસ

કરસનબાપુ ભાદરકા, જે ચોટીલાના આધ્યાત્મિક નેતા તરીકે જાણીતા છે, તેમણે અગાઉ 2021માં કેજરીવાલના વખાણ કર્યા હતા, એમ કહીને કે AAPનું શાસન દિલ્હીમાં લોકો માટે ફાયદાકારક રહ્યું છે. જોકે, તેમનું આ વલણ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું લાગે છે. બાપુનું નિવેદન કે "કેજરીવાલને ઓળખવામાં 4 વર્ષ-2 દિવસ લાગ્યા" એ દર્શાવે છે કે તેમનો AAP અને કેજરીવાલ પ્રત્યેનો દૃષ્ટિકોણ નોંધપાત્ર રીતે બદલાયો છે. આ નિવેદનથી એવા પણ સંકેત મળે છે કે બાપુ આગામી દિવસોમાં કેજરીવાલ અને AAP વિરુદ્ધ વધુ ખુલાસા કરી શકે છે.

આ સાથે જ કરસનબાપુએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી દિવસોમાં કેજરીવાલ અને AAPની ગુજરાતમાં પ્રવૃત્તિઓ વિશે વધુ ખુલાસા કરશે. આ નિવેદનો ગુજરાતના રાજકીય વાતાવરણમાં નવો વળાંક લાવી શકે છે. AAP તરફથી હજુ સુધી આ મામલે સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ પાર્ટીના સ્થાનિક નેતાઓ આ આરોપોનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ચોટીલાનું ખેડૂત સંમેલન અને કરસનબાપુના નિવેદનો ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહેશે.

આ પણ વાંચો- બરડા-ઘેડ પંથક ના ₹1800 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ, પાલ આંબલિયા સામે બાવળીયા-મોઢવાડિયા વરસ્યા

Tags :
#CongressVsAAP#FarmersMeet#KarsanBapuBhadarka#KhedutSammelanAAPArvindKejriwalChotilagujaratpoliticsKejriwalPoliticalControversySaurashtra
Next Article