ChhotaUdepur: વિદ્યાર્થીઓને ગુણવત્તા વગરનું જમવાનું આપવામાં આવે છે, વાલીઓએ લગાવ્યા આક્ષેપો
- કેટલીક શાળાાં વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યો છે અન્યાય
- શાળામાં તેમને મેનૂ પ્રમાણે જમવાનું આપવામાં આવતું નથીઃ આક્ષેપ
- હક્કને છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓની માંગ
Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં રેસીડેન્સીયલ શાળાઓ બનાવવામા આવી છે. જ્યાં બાળકોને શિક્ષણ અને સાધ્ય સામગ્રી સહિત રહેવાનું અને જમવાનું મફતમાં આપવામાં આવે છે. પરંતુ કેટલીક શાળામાં વિધાર્થીઓ સાથે અન્યાય થતો હોય તેમ ઉંગલી નિર્દેશ કરતો એક કિસ્સો સામે આવ્યો છે.
જમવામાં રોજ બટાકાનું જ શાક આપવામાં આવે છેઃ વિદ્યાર્થિનીઓ
બોડેલી તાલુકાની વડાતલાવ ગામ પાસે આવેલ રેસીડન્સીયલ શાળાની કેટલીક વિધાર્થીનીઓએ તેમના વાલીઓને જણાવ્યું કે શાળામાં તેમને મેનૂ પ્રમાણે જમવાનું આપવામાં આવતું નથી. પાણીની પૂરતી વયવસથા નથી શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવા માં આવતું નથી. બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી.જમવામાં રોજ બટાકાનું જ શાક આપવામાં આવે છે. આવી તો અનેક તકલીફોની રજૂઆત બાળકોએ કરી જેને લઇ આસપાસ ગામના વાલીઓ ભેગા થઈને શાળા પર પહોંચ્યા હતાં, પણ તેમને સ્કૂલ માં પ્રવેશવા માટે ની મંજૂરી આપવા મા આવી ન હતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવ્યા પણ તેમણે રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવી નહીં.
આ પણ વાંચો: Gandhinagar: ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ફરી એકવાર કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે થયું ઘર્ષણ
વાલીઓેએ પોતાની દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી
વાલીઓની વાત સાંભળી મીડિયાએ હકીકત જાણવા માટે શાળામાં જવાની કોશિશ કરી તેમને પણ પ્રવેશ અપાયો નહીં. જેથી લાગી રહ્યું છે કે, વિધાર્થીનીઓને મળતા સરકારના લાભોમાં પણ સંચાલકો તરફ શંકાનો ઈશારો પરોક્ષ રીતે થઈ રહ્યો છે. વાલીઓએ તો મીડિયા સમક્ષ પોતાની દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી વિધાર્થીનીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા કહી રહી હતી. તેજ સમયે એક શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા હતાં.
આ પણ વાંચો: Surat: અગ્રવાલ શાળાના સ્કૂલવાનચાલકની ગંભીર બેદરકારીનો ભોગ બની માસૂમ વિદ્યાર્થિની
હક્કને છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓની માંગ
વિધાર્થીઓઓએ અગાઉ તેમના પ્રિન્સિપાલને લેખિતમાં જાણ કરી હતી. જે અરજી તેમના વાલીઓને આપવામાં આવે જે મીડિયા સમક્ષ વાલીઓ બતાવી રહ્યા છે. ગરીબ આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તેને લઇ સરકાર કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે તેમના હક્કને છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી માંગ વાલીઓ અને વિદ્યાર્થિનીઓ કરી રહી છે. જોવાનું એ છે કેસ આ અહેવાલ બાદ સંચાલકો સામે શું પગલા લેવાય છે?


