Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું

અહેવાલ - શક્તિસિંહ રાજપુત શક્તિભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનના સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે અંબાજી મંદિરમાં ભાદરવી મેળો, નવરાત્રી, દિવાળી અને વેકેશન જેવા પર્વમાં...
શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું
Advertisement

અહેવાલ - શક્તિસિંહ રાજપુત

શક્તિભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનના સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે અંબાજી મંદિરમાં ભાદરવી મેળો, નવરાત્રી, દિવાળી અને વેકેશન જેવા પર્વમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે PM નરેન્દ્ર મોદી મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચીખલા ખાતે હેલીપેડ પર ઉતરીને મોટર માર્ગે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવવાના છે ત્યારે અંબાજી મંદિર પરિસરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

અંબાજી ચીખલાથી અંબાજી ધામ, અંબાજી મંદિર પરિસર સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જગ્યા જગ્યા ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર તરફથી અંબાજીના માર્ગો ઉપર સફાઈ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને જગ્યા જગ્યા પર ગંદકી ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચીખલા હેલીપેડ ખાતે ઉતરીને મોટર માર્ગે અંબાજી મંદિરમાં દર્શન કરવા જશે. અંબાજી મંદિરમાં પણ એસપીજી દ્વારા સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરવામાં આવી છે. અંબાજી મંદિર માં જગ્યા જગ્યા ઉપર ફૂલોનો શણગાર જોવા મળી રહ્યો છે રંગોલી જોવા મળી રહી છે.

વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રનું PM લોકાર્પણ કરશે

શક્તિપીઠ અંબાજી મંદિરમાં PM નરેન્દ્ર મોદી માતાજીના દર્શન કરવા આવશે ત્યારે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં રખાયેલાશ્રી યંત્રનું લોકાર્પણ કરશે. 1 કરોડના ખર્ચે બનેલા શ્રીયંત્ર ને જય ભોલે ગ્રુપ દ્વારા 4 મહિનાના સમયમાં બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર્શન કરવા આવશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×