Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રૂલ લેવલ જાળવવા દેવ ડેમના ત્રણ દરવાજા ખોલાયા

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA) ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી સવારે ૧૦ કલાકે ૮૮.૬૦ મીટરથી વઘીને ૮૮.૬૪ મીટર થયેલ છે. છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ગેટ નં. ૪ અને...
vadodara   રૂલ લેવલ જાળવવા દેવ ડેમના ત્રણ દરવાજા ખોલાયા
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA) ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી સવારે ૧૦ કલાકે ૮૮.૬૦ મીટરથી વઘીને ૮૮.૬૪ મીટર થયેલ છે. છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ગેટ નં. ૪ અને પ જે પોઇન્ટ ર૦ મીટર ખુલ્લા છે તેને ૧૧ કલાકે પોઇન્ટ ૩૦ મીટર ખોલવામાં આવશે અને એક વઘારાનો દરવાજો ગેટ નં.૩ ૦.૩૦ મીટર ખોલવામાં આવશે. આમ, ડેમમાંથી કુલ વહન થતો પાણીનો પ્રવાહ ૮૩.૪૯ કયુમેકસ અને કયુસેકમાં ર૯૪૮.૪૫ કયુસેક થશે.

સલામત સ્થળે ખસી જવાની પણ લોકોને તાકીદ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જિલ્લા કલેકટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી વડોદરા ગ્રામ્ય, ડભોઇ, કરજણ, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ મુખ્ય મથકે હાજર રહેવા સૂચના આપી છે.વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવાની પણ લોકોને તાકીદ કરવામાં આવી છે.

Advertisement

નદીઓમાં પાણી ઉફાન ઉપર

દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઇ તાલુકાના ૨૫ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

Advertisement

નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ

દેવ નદીના કાંઠાગાળાના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી,વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા, વાયદપુર અને વાઘોડીયા તાલુકાના ફલોડ, વેજલપુર, વલવા, ઝવેરપુરા, ગોરજ, મહાદેવપુરા, દંખેડા, અંબાલી, પાટીયાપુરા, મુનિ આશ્રમ, મુવાડા, જેપુરા, અંટોલી, વનકુવા, ઘોડાદરા, વ્યારા, ઢોલાર, કાગદીપુરા, આંકડીપુરા ગામોના નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો -- VADODARA : વરસાદી માહોલ વચ્ચે વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં વધારો

Tags :
Advertisement

.

×