Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બોટકાંડમાં બનાવટી દસ્તાવેજો રજુ કરનાર સામે ગાળિયો કસાશે

VADODARA : સ્વર્ગીય શિક્ષિકાના સ્વજનોએ સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરવાનો આદેશ કરવાની માંગ કરતું સોગંદનામું રજૂ કરાયું
vadodara   બોટકાંડમાં બનાવટી દસ્તાવેજો રજુ કરનાર સામે ગાળિયો કસાશે
Advertisement

VADODARA : હરણી બોટકાંડમાં (HARNI BOAT ACCIDENT - VADODARA) ની ચકચારી ઘટનામાં મૃતક બે શિક્ષિકા અને બાર બાળકોને વળતર આપવાના મુદ્દે હાલ વડોદરા નાયબ કલેક્ટર સમક્ષ સુનવણી ચાલી રહી છે. દરમિયાન શાળા સંચાલકો તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો બનાવટી હોવાની શંકા જતાં આ મામલે અરજી સ્વરૂપે લેખિતમાં રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. તે બાદ આજે વળતર અંગેની નાયબ કલેક્ટર સાથેની સુનવણીમાં આ મુદ્દે મૃતક શિક્ષિકાના પરિજનો દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે. અને ન્યુ સનરાઇઝ શાળાના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની વધુ એક વખત માંગ કરવામાં આવી છે.

શિક્ષિકાઓના પગારના પુરાવા મંગાવ્યા હતા

હિતેશ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, હરણી બોટકાંડના મામલે નાયબ કલેક્ટરની સમક્ષ જે તપાસ ચાલી રહી છે, તેમાં શાળા સંચાલકો તરફથી છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પગારના પુરાવા મંગાવ્યા હતા, જેમાં પગાર પત્રક પર રેવન્યુ સ્ટેમ્પ લગાવીને પગાર ચુકવવામાં આવતો હતો. જે દસ્તાવેજ રજૂ થયા બંન્ને શિક્ષિકાઓના નવેમ્બર અને ડિસેમ્બર 2023 માં બનાવટી અને ખોટી સહી હોવાનું જણાતુ હતુ.

Advertisement

દસ્તાવેજોની તપાસ કરવાનો આદેશ કરવાની માંગ

વધુમાં જણાવ્યું કે, ઓછુ વળતર મળી રહે તેવી રીતે શાળાએ પોતાનો આર્થિક ઇરાદામાં બચાવવા માટે ખોટો દસ્તાવેજ બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા. આજે વળતર કેસની સુનાવણી હતી. જેમાં સ્વ. છાયાબેન સુરતીના પુત્ર જીગર અને સ્વ. ફાલ્ગુનીબેન પટેલના પતિ મનિષભાઇ પટેલે સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરવાનો આદેશ કરવાની માંગ કરતું સોગંદનામું નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : શાળા બહાર જ ચિક્કાર ગંદકીથી વિદ્યાર્થીઓની હાજરી અનિયમિત

Tags :
Advertisement

.

×