જાણો કયા રાજ્યમાં કેટલી બેઠકો પર થશે ચૂંટણી, પક્ષ મુજબ રાજ્યસભાની પરિસ્થિતિ
રાજ્યસભાની ચૂંટણી માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દેશના 15 રાજ્યોમાં 57 સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક પ્રાદેશિક પક્ષો રાજ્યસભાની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી રહ્યા છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 31 મે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 1 જૂનના રોજ કરવામાં આવશે. તેથી તે જ ઉમેદવારો 3 જૂન સુધી તેમના નામ પાàª
Advertisement
રાજ્યસભાની ચૂંટણી માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દેશના 15 રાજ્યોમાં 57 સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક પ્રાદેશિક પક્ષો રાજ્યસભાની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી રહ્યા છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 31 મે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 1 જૂનના રોજ કરવામાં આવશે. તેથી તે જ ઉમેદવારો 3 જૂન સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. આમ 3 જૂન સુધીમાં મોટાભાગનું ચિત્ર સ્પસ્ટ થઈ જશે.
રાજ્યસભા ચૂંટણી 2022 માટે મતદાન 10 જૂને સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. આને આજ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. આ અંગે 24 મેના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્યસભાની 245 બેઠકોમાંથી 15 રાજ્યોના 57 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ આ વર્ષે 21 જૂનથી 1 ઓગસ્ટની વચ્ચે સમાપ્ત થઈ રહ્યો છે.
હાલમાં રાજ્યસભામાં ભાજપના 95 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 29 સભ્યો છે. રાજ્યસભામાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 31 બેઠકો છે. તેમાંથી 11 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 4 જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુના 6-6 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બિહારના 5 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. તો આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનના રાજ્યસભાના 4-4 સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે.
મધ્યપ્રદેશ અને ઓડિશાના રાજ્યસભાના ત્રણ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. છત્તીસગઢ, તેલંગાણા, ઝારખંડ, પંજાબ અને હરિયાણાના બે રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. પંજાબમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સરકારની રચના બાદ AAP ઉમેદવારો અહીં બંને બેઠકો કબજે કરી શકે છે.
રાજ્યસભાની કેટલી બેઠકો પર ચૂંટણી થાય છે?
ઉત્તર પ્રદેશ - 11, મહારાષ્ટ્ર - 6, તમિલનાડુ - 6, બિહાર - 5, આંધ્ર પ્રદેશ - 4, રાજસ્થાન - 4, કર્ણાટક - 4, ઓડિશા - 3, મધ્ય પ્રદેશ - 3, તેલંગાણા - 2, છત્તીસગઢ - 2, ઝારખંડ - 2, પંજાબ - 2, હરિયાણા - 2, ઉત્તરાખંડ - 1
રાજ્યસભાની ચૂંટણીમાં કોણ ભાગ લે છે?
રાજ્યસભામાં વધુમાં વધુ 250 સભ્યોની જોગવાઈ છે. તેમાંથી 238 સભ્યો વોટિંગ દ્વારા ચૂંટાય છે જ્યારે 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. રાજ્યની વિધાનસભાના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લે છે. આ ચૂંટણીમાં રાજ્યોની લેજિસ્લેટિવ કાઉન્સિલ (MLC) ના સભ્યો મતદાન કરતા નથી. રાજ્યની જનતા આ ચૂંટણીમાં પ્રત્યક્ષ રીતે ભાગ લઈ ના શકે પરંતુ તેમના દ્વારા ચૂંટવામાં આવેલા વિધાનસભાના સભ્યો તેના પ્રતિનિધિ તરીકે આ ચૂંટણીમાં ભાગ લેતા હોય છે અને મતદાન કરતાં હોય છે. દેશના ઉપલા ગૃહ રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યોનો કાર્યકાળ દર બે વર્ષે સમાપ્ત થાય છે. ગુજરતમાં 11 રાજ્યસભાની બેઠકો છે.
પક્ષ મુજબ રાજ્યસભાની પરિસ્થિતિ:
રાજ્યસભામાં કુલ 88.31 ટકા પુરુષો સદસ્ય છે જ્યારે 11.69 ટકા મહિલા સદસ્યો છે. રાજ્યસભાના સદસ્યોના શિક્ષણની વાત કરવામાં આવે તો 38.96 ટકા સદસ્યો ગ્રેજ્યુએટ છે. 28.57 ટકા સદસ્યો પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને 12.12 ટકા સદસ્યો ડૉક્ટર છે જ્યારે 20.35 ટકા સદસ્યો અન્ય વિવિધ અભ્યાસ કર્યો છે. વ્યવસાયની વાત કરવામાં આવે તો 26.84 ટકા સદસ્યો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. 5.19 ટકા સદસ્યો શિક્ષણ સાથે જોડાયેલા છે. 8.66 ટકા સદસ્યો વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે 27.27 ટકા સદસ્યો સામાજીક કાર્ય સાથે અને 32.03 ટકા લોકો અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે.
Advertisement


